AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સુધી સુરતનો આ ખેડૂત કોઈ પણ માર્કેટિંગ વગર વેચે છે ઓર્ગેનિક ગોળ

ઓર્ગેનિક ખેતીને કારણે શેરડીના ઉત્પાદનમાં 8 થી 10 ટનનો વધારો થયો છે. ઓર્ગેનિક શેરડીમાંથી તેઓ ઓર્ગેનિક ગોળ બનાવે છે. એક ટન શેરડીમાંથી તે લગભગ 120 કિલો ગોળનું ઉત્પાદન કરે છે.

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સુધી સુરતનો આ ખેડૂત કોઈ પણ માર્કેટિંગ વગર વેચે છે ઓર્ગેનિક ગોળ
Organic Jaggery
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 1:03 PM
Share

આજના યુગમાં, કૃષિ (Agriculture) માટે સારું બજાર શોધવું એ સૌથી મોટો પડકાર છે કારણ કે જો સારું બજાર ન હોય તો ખેડૂતોને (Farmers) તેમના ઉત્પાદનના સારા ભાવો મળી શકશે નહીં. પરંતુ કેટલાક ખેડૂતો એવા છે જેમણે તેનો ઉપાય શોધી કાઢ્યો છે અને આજે સારી કમાણી કરી રહ્યા છે.

ગોવિંદભાઈ વઘાસિયા સુરતમાં રહેતા આવા જ એક ખેડૂત છે. એક સમય હતો જ્યારે શેરડીની લણણી પછી તેઓ શેરડીના વાજબી ભાવ મેળવવા મહિનાઓ સુધી રાહ જોતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ માટે તેણે જાતે પ્રયત્ન કર્યો. નવી પદ્ધતિઓ અપનાવી આજે અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સુધી ઓર્ગેનિક ગોળનું વેચાણ કરી રહ્યા છે.

કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કર્યો વાજબી ભાવની રાહ જોતા ગોવિંદભાઈ ખૂબ પરેશાન થયા અને તેના ઉકેલ માટે તેમણે શેરડી વેચવાને બદલે તેનો ગોળ બનાવી અને તે વેચવાનું નક્કી કર્યું. ગોળ બનાવવાનું નક્કી કર્યા પછી, તેમણે કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કર્યો. જોકે તેમના પિતાએ તેમને ગોળ બનાવવાની પદ્ધતિ શીખવી હતી, પરંતુ તેઓ તેને વ્યવસાય તરીકે કરવા માંગતા હતા, તેથી તેમણે વ્યવસાયિક રીતે ગોળ બનાવવાનું શીખવાનું વિચારતા કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કર્યો.

ગોવિંદભાઈ 10 વર્ષથી ઓર્ગેનિક ગોળ બનાવી વેચાણ કરે છે તેને યુનિવર્સિટી તરફથી માર્ગદર્શન મળ્યું, ત્યારબાદ ગુણવત્તાની ખાસ કાળજી લેતા, તેણે પોતાની બ્રાન્ડ નામ સાથે ગોળ બનાવવાનું શરૂ કર્યું. ગોવિંદભાઈએ નાના પાયે શરૂઆત કરી ગોળ બનાવવાનું શરૂ કર્યું. આજે તેના ગોળ બનાવવાના પ્લાન્ટમાં લગભગ 350 લોકો કામ કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી તેઓ ઓર્ગેનિક ગોળ બનાવી રહ્યા છે.

ગોવિંદભાઈએ કહ્યું કે 10 કિલો ગોળ લઈ જનારા ગ્રાહક બીજા વર્ષે 100 કિલો ગોળ લેવા માટે અમારી પાસે આવે છે. મારા માટે આ સફળતા અને નફો બન્ને છે. તેમના પિતા ઘણીવાર કહેતા કે દુનિયાના અન્ય કોઈ પણ વ્યવસાયને બદલે જો તમે ખેતીમાં મહેનત કરશો તો તમે મનની શાંતિ સાથે સારો નફો મેળવી શકશો. ખેતીમાં આવક વધારવા માટે, વ્યક્તિએ હંમેશા કંઈક શીખતા રહેવું જોઈએ, પછી ભલે તે નવી ટેકનોલોજી હોય અથવા નવી પ્રોડક્ટ્સનું સર્જન.

100 એકર જમીનના માલિક ગોવિંદભાઈને જાણ્યુ કે ઓર્ગેનિક ખેતીને કારણે શેરડીના ઉત્પાદનમાં 8 થી 10 ટનનો વધારો થયો છે. ઓર્ગેનિક શેરડીમાંથી તેઓ ઓર્ગેનિક ગોળ બનાવે છે. એક ટન શેરડીમાંથી તે લગભગ 120 કિલો ગોળનું ઉત્પાદન કરે છે. આ રીતે તેના ખેતરમાં પ્લાન્ટમાં દરરોજ 11 હજાર કિલો ગોળનું ઉત્પાદન થાય છે. તેમની પાસે લગભગ 100 એકર ખેતીની જમીન છે, જેમાં તેઓ 22 એકર જગ્યામાં ઓર્ગેનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : હવે ગાય અને ભેંસ પણ ખાશે ખાસ કેન્ડી ચોકલેટ, પોષક તત્વોથી ભરપૂર આ ચોકલેટથી દૂધના ઉત્પાદનમાં થશે વધારો

આ પણ વાંચો : Black Guava Farming: હવે ખેડૂતો કરી શકશે કાળા જામફળની ખેતી, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">