માનવીની ઈચ્છા શક્તિ દરેક અસંભવ કાર્યને શક્ય બનાવી શકે છે, તેનું જીવંત ઉદાહરણ કર્ણાટકના અદ્યાનાડકા ગામના રહેવાસી મહાલિંગા નાઈક (Mahalinga Naik) છે. કર્ણાટકના દક્ષિણ કન્નડના અદ્યાનાડકા ગામના ખેડૂત (Farmer)અમાઈ મહાલિંગા નાઈકને બંજર જમીન અને ડુંગરાળ વિસ્તારને સિંચાઈ કરવા અને તેને ફળદ્રુપ ખેતરમાં ફેરવવા બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર 2022 (Padma Shri Award) એનાયત કરવામાં આવ્યો છે.
વાસ્તવમાં, નવીન શૂન્ય-ઊર્જા સૂક્ષ્મ-સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને, નાઈકે બંજર જમીનને ફળદ્રુપ જમીનમાં ફેરવી છે, જેમાં સોપારીના ઝાડ, નાળિયેરનાં વૃક્ષો, કાજુનાં વૃક્ષો, કેળાનાં છોડનો સમાવેશ થાય છે. અમાઈ મહાલિંગ નાઈકે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, “હું 22 વર્ષની ઉંમરે મકાનમાલિકના ઘરમાં કામ કરતો હતો. તેમાંથી એકે મને ઢાળવાળી ટેકરી પર ઉજ્જડ જમીનનો ટુકડો આપ્યો.
પાણીનો કોઈ સ્ત્રોત નહોતો. મારી પાસે સિંચાઈ કે બોરવેલ ખોદવા માટે પૈસા નહોતા. તેથી મેં ભૂગર્ભજળ સુધી પહોંચવા માટે સખત ખડકોમાં એક ટનલ ખોદવાનું શરૂ કર્યું.” લોકોએ કહ્યું ‘પાગલ’ છે પરંતુ તેઓએ પોતાના ખેતરમાં પાણી લાવવા માટે 6 ટનલ ખોદી. તેમણે તેની આસપાસની ટેકરીઓમાં એકલાએ 300 અંતઃસ્ત્રાવી ખાઈઓ બનાવી.
ANIને પોતાની સ્ટોરી શેર કરતા નાઈકે જણાવ્યું કે તે પહેલા 5 પ્રયાસોમાં નિષ્ફળ ગયા હતા, લોકોએ તેમને પાગલ કહ્યા અને 4 વર્ષ વેડફ્યા પછી તેમની પાસે બીજું કોઈ કામ નહોતું. પરંતુ નિષ્ફળતા નાઈકને નિરાશ ન કરી શકી અને લગભગ 30 ફૂટ ઊંડી છઠ્ઠી ટનલ ખોદ્યા પછી, તેમને તેમના ખેતર માટે પાણીનો સ્ત્રોત મળ્યો.
What a life, what an achievement.
Karnataka’s ‘single man army’ Amai Mahalinga Naik, who has been conferred with the Padma Shri Award.#PadmaAwards pic.twitter.com/w3AinMaq9y
— Gajendra Singh Shekhawat (@gssjodhpur) January 25, 2022
આપને જણાવી દઈએ કે મહાલિંગના વ્યક્તિત્વનું વર્ણન કરતા કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, “જીવન શું છે, સિદ્ધિ શું છે.” તેમણે નાઈકને ‘જળ યોદ્ધા’ ગણાવ્યા છે.
આ પણ વાંચો: Gram Suraksha Yojana: ખેડૂતો પણ લઈ શકે છે આ યોજનાનો લાભ, દરરોજ જમા કરો 50 રૂપિયા મળશે 35 લાખ
આ પણ વાંચો: કૃષિ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં આગળ આવી રહ્યા છે યુવાનો, ડ્રેગન ફ્રૂટ અને સ્ટ્રોબેરીની કરી રહ્યા છે ખેતી