Success Story: ખેડૂતોએ પહેલા શરૂ કરી જૈવિક ખેતી, હવે સ્ટોરમાં ઉત્પાદકો વેચીને કરે છે કમાણી

જૂનાગઢ જિલ્લામાં કેટલાક ખેડૂતોએ પ્રાયોગિક ધોરણે જૈવિક ખેતી (Organic Farming) શરૂ કરી હતી. આમાં સફળતા મળ્યા પછી તેણે પોતાના સ્ટોરમાં પોતાની પ્રોડક્ટ્સ વેચવાનું શરૂ કર્યું અને આજે તેનું વાર્ષિક ટર્નઓવર 30 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

Success Story: ખેડૂતોએ પહેલા શરૂ કરી જૈવિક ખેતી, હવે સ્ટોરમાં ઉત્પાદકો વેચીને કરે છે કમાણી
organic farming ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 6:34 AM

ભારત કૃષિપ્રધાન દેશ છે. ખેતીમાં વિશાળ સંભાવનાઓ પણ છે. ખેડૂતોએ માત્ર દ્રઢતા સાથે કંઈક અલગ કરવાની જરૂર છે. તમામ ખેડૂતોની સફળતાની ગાથાઓ સમયાંતરે સાક્ષી આપે છે. તાજેતરના વર્ષોમાં દેશના ખેડૂતોએ પરંપરાગત પાક અને પરંપરાગત પદ્ધતિઓની ખેતી છોડીને નવા પ્રયોગો કર્યા છે અને તેમને સફળતા મળી છે.

ગુજરાતના કેટલાક ખેડૂતોએ પ્રયોગ તરીકે જૈવિક ખેતી (Organic Farming) પણ શરૂ કરી હતી. હવે તેઓ આત્મનિર્ભર થઈ ગયા છે. પોતાના ખેતરમાં ઓર્ગેનિક રીતે ઉગાડેલ ઉત્પાદનોનું પોતાના સ્ટોરમાં વેચાણ કરીને કમાણી કરે છે .

ગુજરાતના જૂનાગઢ જિલ્લાના 24 જેટલા ખેડૂતોએ એક જૂથ બનાવીને જૈવિક ખેતી કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેના ઉત્પાદનોની માંગ વધતી ગઈ હતી. તેથી તેણે વિચાર્યું કે શા માટે તે પોતે જ વેચી ન દે. તેને ધ્યાનમાં રાખીને ખેડૂતોના આ જૂથે પોતાનો સ્ટોર ખોલ્યો હતો. આજે તેમનું વાર્ષિક ટર્નઓવર 30 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વાર્ષિક ટર્નઓવર 30 લાખ

જૂનાગઢ શહેરથી લગભગ 12 કિમી દૂર આવેલા વડાલ ગામના હિતેશ ડોમલિયાએ પાંચ વર્ષ પહેલા જૈવિક ખેતી શરૂ કરી હતી. શરૂઆતમાં તેણે વિવિધ શાકભાજીની ખેતી કરી હતી. જ્યારે ઉપજ આવવાનું શરૂ થયું ત્યારે ડોમાલિયાએ શહેરના વ્યાવસાયિકો અને શિક્ષણવિદોને ભજીયા પાર્ટી માટે આમંત્રણ આપ્યું. આ દરમિયાન તેમણે તેમની ખેતીની પદ્ધતિઓ વિશે પણ માહિતી આપી હતી.

ઓર્ગેનિક પ્રોડક્ટ્સ તરફ પણ તેમનું આકર્ષણ વધ્યું અને ભજીયા પાર્ટીમાં આવેલા લોકોએ શાકભાજી ખરીદવાની વાત કરી હતી. તેનાથી પ્રોત્સાહિત થઈને તેણે પોતાનો વિસ્તાર વધાર્યો. હિતેશ ડોમાલિયાએ જણાવ્યું હતું કે મારી સાથે લગભગ 25 ખેડૂતો આવ્યા છે. હવે અમે દર સીઝનમાં 1500 કિલો સીંગદાણાનું તેલ વેચીએ છીએ. આ સાથે અનાજ, લોટ, તેલ, દૂધ અને અન્ય ઉત્પાદનોનું વેચાણ થાય છે. આજે અમારું ટર્નઓવર 30 લાખ સુધી પહોંચી ગયું છે.

ખેડૂતો હોમ ડિલિવરી પણ કરે છે

આ ખેડૂતોને તેમના ખેતરોમાં ઉગાડવામાં આવતી ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પોતાના સ્ટોરમાં વેચવાથી સૌથી મોટો ફાયદો એ છે કે વચેટિયાઓની ભૂમિકા ખતમ થઈ ગઈ છે. ખેડૂતો કહે છે કે અમારા ઉત્પાદનોની કિંમત સામાન્ય રીતે ઊંચી હોય છે, કારણ કે અમે તેને જૈવિક રીતે ઉગાડીએ છીએ.

આ જૂથના એક ખેડૂતે જણાવ્યું કે હવે અમે હોમ ડિલિવરી પણ કરી રહ્યા છીએ. અમારા ઉત્પાદનોની કિંમત પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા પાક કરતાં વધુ હોઈ શકે છે, પરંતુ અમારા ગ્રાહકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છે. તેઓ પૈસા આપવામાં અચકાતા નથી. લોકોમાં એવી માન્યતા છે કે આપણને જે માલ મળશે તે અસલ હશે.

આ પણ વાંચો : Booster Dose: કોરોના રસીના બૂસ્ટર ડોઝ માટે નહીં કરાવવું પડે નવું રજીસ્ટ્રેશન, 10 જાન્યુઆરીથી અપાશે વેક્સિન

આ પણ વાંચો : RSS ના નાગપુર હેડક્વાર્ટર પર હુમલાની શક્યતા, જૈશ-એ-મોહમ્મદના આતંકીએ કરી રેકી, પ્રજાસત્તાક દિવસ અને વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ હુમલાની આશંકા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">