કેન્દ્ર સરકારે સફેદ અને બ્રાઉન ચોખાની નિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે તે 9 સપ્ટેમ્બર પહેલા જાહેર કરાયેલા લેટર્સ ઓફ ક્રેડિટ દ્વારા સમર્થિત સફેદ અને બ્રાઉન રાઇસના કાર્ગોને મંજૂરી આપશે. સાથે જ સરકારના આ નિર્ણયથી નિકાસકારોને તાત્કાલિક રાહત મળી છે. હકીકતમાં, 8 સપ્ટેમ્બરના રોજ સરકારે બ્રોકન ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત, વિવિધ ગ્રેડની નિકાસ પર 20% ડ્યુટી લાદવામાં આવી હતી, જેથી સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રિત કરી શકાય.
આ વર્ષે ઘણા રાજ્યોમાં મોનસુનનું આગમન મોડું થયું હતું. ઉપરાંત, ઘણા રાજ્યોમાં સરેરાશથી ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતરમાં પણ ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં 8 સપ્ટેમ્બરે સરકારે બ્રોકન ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ખાસ વાત એ છે કે સરકારના આ પગલાને કારણે લગભગ 10 લાખ ટન ચોખા બંદરો પર અટવાઈ પડ્યા હતા અથવા જે સરકારની જાહેરાત પહેલા વિદેશ જવાના હતા.
રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ બીવી કૃષ્ણા રાવે કહ્યું કે આ એક મોટી રાહત છે, જેની અમે છેલ્લા કેટલાક અઠવાડિયાથી માગ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે 9 સપ્ટેમ્બરથી ભારતીય સફેદ ચોખાના નિકાસ મૂલ્યમાં 12%નો વધારો થયો છે. ત્યારે સરકારે સોમવારે મોડી રાત્રે જાહેર કરેલી તેની નોટિસમાં એમ પણ કહ્યું હતું કે તે નેપાળને 6,00,000 ટન અનપોલિશ્ડ ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપશે, જે પરંપરાગત રીતે તેની ખાદ્યાન્ન જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારત પર નિર્ભર છે. વૈશ્વિક ચોખાના શિપમેન્ટમાં ભારતનો હિસ્સો 40% છે. ભારત ચોખામાં થાઈલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને મ્યાનમાર સાથે સ્પર્ધા કરે છે. ત્યારે નવી દિલ્હીએ ગયા મહિને 397,267 ટન તૂટેલા ચોખાની નિકાસને મંજૂરી આપી હતી.
આપને જણાવી દઈએ કે ભારતમાંથી નિકાસ કરવામાં આવતા આખા ચોખામાં ટુકડાઓનો મોટો હિસ્સો સામેલ છે. 2022માં કુલ 93.53 લાખ મેટ્રિક ટન ચોખાની નિકાસ કરવામાં આવી છે, જેમાં બ્રોકન ચોખાનો હિસ્સો 21.31 લાખ મેટ્રિક ટન છે. આ મુજબ ભારતમાંથી કુલ ચોખાની નિકાસમાં બ્રોકન ચોખાનો હિસ્સો 22.78 ટકા છે.