AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMKSY : પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને મળશે 80 ટકા સુધીની સબસિડી, જાણો તમામ વિગત

અદ્યતન મશીનો માત્ર ખેતીનો ખર્ચ ઘટાડતા નથી, પણ ખેડૂતોને સારી આવક પણ મળી શકે છે. કૃષિ નિષ્ણાતોના મતે ઓછા પાણીમાં પાક સિંચાઈ કરી શકાય છે. આ માટે ખેડૂતો છંટકાવ પદ્ધતિ એટલે કે સ્પ્રીંકલર સીસ્ટમ (Sprinkler System) અપનાવી શકે છે.

PMKSY : પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને મળશે 80 ટકા સુધીની સબસિડી, જાણો તમામ વિગત
Sprinkler System
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 11:10 AM
Share

ખેતીમાં પાક સિંચાઈ (Irrigation) મુખ્ય ભૂમિકા ભજવે છે. પાક સિંચાઈમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો (Farmers) પાણી બચાવી શકે છે. તેના બેવડા ફાયદા છે – અદ્યતન મશીનો માત્ર ખેતીનો ખર્ચ ઘટાડતા નથી, પણ ખેડૂતોને સારી આવક પણ મળી શકે છે. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) સહિત સુધારેલી ખેતી વિશે જાણકારી આપી છે.

કૃષિ નિષ્ણાતોના મતે ઓછા પાણીમાં પાક સિંચાઈ કરી શકાય છે. આ માટે ખેડૂતો છંટકાવ પદ્ધતિ એટલે કે સ્પ્રીંકલર સીસ્ટમ (Sprinkler System) અપનાવી શકે છે. ઉલ્લેખનીય છે કે છંટકાવની પાઈપો ખરીદવા પર પણ ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અથવા PM કૃષિ સિંચાઈ યોજના હેઠળ સબસિડી મળશે. પીએમ કૃષિ સિંચાઈ યોજના હેઠળ, સામાન્ય ખેડૂતોને 80% સબસિડી આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકે છે. ખેડૂતોએ રજિસ્ટર્ડ પેઢીમાંથી સ્પ્રીંકલરપાઇપ ખરીદ્યા બાદ બિલ સાથે અરજી કચેરીમાં સબમિટ કરવાની રહેશે.

ખેડૂતોને 80-90 ટકા સબસિડી મળશે

એકવાર અરજી મંજૂર થયા પછી, ખેડૂતોને ખર્ચ પર 80-90 ટકા સબસિડી આપવામાં આવે છે. સ્પ્રીંકલર સિંચાઈ પદ્ધતિની મદદથી, તમે જમીનને સમતળ કર્યા વિના ખેતરોને સારી રીતે સિંચાઈ કરી શકો છો. આ સિસ્ટમ ઢોળાવ અને ઓછી ઉંચાઇ પર સિંચાઇ માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે.

લસણ, આદુ, કોબીજ, બટાકા, વટાણા, ડુંગળી, બ્રોકોલી, સ્ટ્રોબેરી, મગફળી, સરસવ, પાંદડાવાળા શાકભાજી, કઠોળ, ચા અને નર્સરીમાં આ પદ્ધતિથી સિંચાઈ કરી શકાય છે.

આ યોજના હેઠળ, સ્વ-સહાય જૂથો, ટ્રસ્ટો, સહકારી મંડળીઓ, સમાવિષ્ટ કંપનીઓ, ઉત્પાદક ખેડૂત જૂથોના સભ્યો અને અન્ય પાત્ર સંસ્થાઓના સભ્યોને પણ લાભો આપવામાં આવશે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2021 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ 50,000 કરોડની રકમ નક્કી કરવામાં આવી છે.

કોને લાભ મળશે

1. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ. 2. આ યોજનાના પાત્ર લાભાર્થીઓ દેશના તમામ વર્ગના ખેડૂતો હશે. 3. PM Krishi Sinchai Yojana હેઠળ સ્વ-સહાય જૂથો, ટ્રસ્ટો, સહકારી મંડળીઓ, સમાવિષ્ટ કંપનીઓ, ઉત્પાદક ખેડૂત જૂથના સભ્યો અને અન્ય પાત્ર સંસ્થાઓને પણ લાભો આપવામાં આવશે. 4. પીએમ કૃષિ સિંચાઈ યોજના 2021 ના ​​લાભો તે સંસ્થાઓ અને લાભાર્થીઓ માટે ઉપલબ્ધ થશે જેઓ ઓછામાં ઓછા સાત વર્ષ માટે લીઝ કરાર હેઠળ તે જમીનની ખેતી કરે છે. આ યોજનાનો લાભ કરાર ખેતી દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2021 ના ​​દસ્તાવેજો

1. અરજદારનું આધાર કાર્ડ

2. ઓળખપત્ર

3. ખેડૂતની જમીનના કાગળો

4. બેંક ખાતાની પાસબુક

5. પાસપોર્ટ સાઇઝ ફોટો

6. મોબાઇલ નંબર

આ પણ વાંચો : એક એકરમાં આ વૃક્ષના 120 છોડનું વાવેતર કરો અને 12 વર્ષમાં કરોડપતિ બનો ! જાણો કેવી રીતે

આ પણ વાંચો : PM Kisan Yojana: તમારા ખાતામાં 2 હજાર નથી આવ્યા ? આ કામ કરવાથી બેંકખાતામાં આવી જશે રૂપિયા

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">