PM Kisan Scheme : અધિકારીઓ અને કર્મચારીઓ ગડબડ કરવાનું બંધ કરે નહીંતર થશે FIR
તમિલનાડુથી લઈને રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટક સુધી, પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) માં ગેરરીતિઓ અંગે એફઆઈઆર નોંધવામાં આવી છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ખેડૂતો (Farmers) ની સૌથી મોટી યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi scheme) માં જો કોઈ અધિકારી કે કર્મચારી કોઈને ખોટી રીતે પૈસા આપીને ફાયદો ઉઠાવી રહ્યા છે તો સાવધાન. આવા કામ બંધ કરો નહીંતર જેલ જવું પડી શકે છે. નોકરી જશે તે અલગ. તાજેતરના ભૂતકાળમાં, આવા કિસ્સાઓમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. તમિલનાડુથી લઈને રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટક સુધી, પીએમ કિસાન યોજના (PM Kisan Yojana) માં ગેરરીતિઓ અંગે એફઆઈઆર નોંધવામાં આવી છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, 12મો હપ્તો આવે તે પહેલાં ગરબડ બંધ કરી દેવી વધુ સારું રહેશે.
એક રિપોર્ટ અનુસાર રાજસ્થાનમાં છેતરપિંડી રોકવા માટે છ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં એવું જણાયું હતું કે ખુદના રજીસ્ટર્ડ ખેડૂતોને યોજના માટે લાયક બનાવવા માટે 192 આઈપી એડ્રેસમાંથી તહેસીલદારના આઈડીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આઈપી એડ્રેસની યાદી સાથે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલે બેદરકારીના આરોપસર સરકારે તત્કાલીન અને હાલના તહસીલદાર સામે કાર્યવાહી શરૂ કરી છે.
તમિલનાડુમાં સૌથી મોટી કાર્યવાહી
પીએમ કિસાન યોજનામાં ગરબડ કરવા પર તમિલનાડુમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં 16 જિલ્લામાં FIR નોંધવામાં આવી છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સહિત 123 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર પ્રવૃતિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલા હોવાની શંકાના આધારે 102 કોન્ટ્રાક્ટ કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે. કૃષિ વિભાગના ત્રણ બ્લોક લેવલના મદદનીશ નિયામક, જ્યાં મોટી સંખ્યામાં એન્ટ્રીઓ આવી હતી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. PM-કિસાન યોજનામાં નકલી લાભાર્થીઓની નોંધણી કરનારા 71 અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કેટલી થઈ રિકવરી
કેટલાક રાજ્યોએ કેન્દ્ર સરકારને આ યોજના હેઠળ છેતરપિંડીના મામલાઓની જાણ કરી છે. આ રાજ્યોમાં તમિલનાડુ, કર્ણાટક, રાજસ્થાન અને ગુજરાતનો સમાવેશ થાય છે. રાજ્ય સરકારો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે અને FIR નોંધવામાં આવી છે. રાજ્ય સરકારોએ આ નકલી લાભાર્થીઓ પાસેથી તમિલનાડુમાં રૂ. 163 કરોડ, રાજસ્થાનમાં રૂ. 3.6 લાખ, કર્ણાટકમાં રૂ. 1.21 કરોડ અને ગુજરાતમાં રૂ. 41.76 લાખની વસૂલાત કરી છે.
ગેરરીતિ રોકવા સરકાર શું કરી રહી છે?
પાત્ર ખેડૂતોનું નામાંકન કરવામાં આવી રહ્યું છે. જ્યારે મૃતક અને અયોગ્ય લાભાર્થીઓને સતત ચકાસણી અને લાભાર્થીના ડેટાની પુષ્ટિ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે. રાજ્યોને ચકાસણી બાદ લાભાર્થીઓને અયોગ્ય અને પાત્ર તરીકે ચિહ્નિત કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તમામ લાભાર્થીઓની સ્થિતિ ચકાસવા માટે E-KYC પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યોને તમામ પાત્ર લાભાર્થીઓને યોજના સાથે જોડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા અને અયોગ્ય લાભાર્થીઓને બહાર કાઢવા માટે કહેવામાં આવ્યું છે.