પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખર્ચ ઘટશે અને નફો વધશે, પાક વૈવિધ્યકરણ દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે સરકારના પ્રયાસ

|

Aug 12, 2022 | 5:22 PM

રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરીને ખર્ચમાં ઘટાડો કરીને ખેડૂતોને (Farmers) લાભ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાક વૈવિધ્યકરણ દ્વારા આ માટે જમીન તૈયાર કરવામાં આવી રહી છે.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખર્ચ ઘટશે અને નફો વધશે, પાક વૈવિધ્યકરણ દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે સરકારના પ્રયાસ
Farmer

Follow us on

દેશમાં પ્રાકૃતિક ખેતીને (Natural Farming) પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર ઝડપથી કામ કરી રહી છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરીને ખર્ચમાં ઘટાડો કરીને ખેડૂતોને (Farmers) લાભ આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પાક વૈવિધ્યકરણ દ્વારા આ માટે જમીન તૈયાર કરવામાં આવી રહી છે. સરકારનો પ્રયાસ છે કે ખેડૂતોએ માત્ર પરંપરાગત પાકની ખેતી પર નિર્ભર ન રહેવું જોઈએ, પરંતુ રોકડિયા પાકોની ખેતી કરવી જોઈએ અને જમીનના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખેતી કરવી જોઈએ. આ અંતર્ગત મધ્યપ્રદેશ સરકાર પાક વૈવિધ્યકરણમાં ઓર્ગેનિક ખેતી (Organic Farming) પર મહત્તમ ધ્યાન આપી રહી છે.

રાજ્યમાં માગ આધારિત પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા માટે ત્રણ વર્ષની યોજના શરૂ કરવામાં આવી છે. પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતી માટેના વિસ્તારોની પસંદગી કરીને રાજ્યમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ અન્ય રાજ્યોની સરખામણીએ પાક વૈવિધ્યકરણના ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને જો ખેડૂતો રસ લેશે તો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં સરળતા રહેશે.

ડાંગર અને ઘઉંને બદલે અન્ય પાક પર ભાર

ડાંગર અને ઘઉંના બે મુખ્ય પાકો ઉપરાંત પ્રાકૃતિક ખેતી હેઠળ રાજ્યમાં અન્ય પાકો ઉગાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારનો એવો પ્રયાસ છે કે મુખ્ય રોકડીયા પાક પૈકીના એક એવા સોયાબીનનો વિસ્તાર ઘટે નહીં પરંતુ ડાંગર અને ઘઉંને બદલે ખેડૂતો અન્ય પાકની ખેતી કરે. તેનાથી તેમને ફાયદો થશે અને જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

મધ્યપ્રદેશના ખેડૂતો મુખ્યત્વે ખરીફ સિઝનમાં ડાંગર અને સોયાબીનની ખેતી કરે છે જ્યારે રવિ સિઝન મુખ્યત્વે ઘઉંના પાક પર આધારિત છે. રાજ્યના કૃષિ-આબોહવા ઝોન અને આબોહવામાં વિવિધતાને કારણે કેટલાક પાકોમાં પર્યાવરણીય અસંતુલનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકાર પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરી રહી છે.

આ પાકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે

રવિ સિઝનમાં કુલ 134 લાખ હેક્ટર વિસ્તારમાં ઘઉંનો વિસ્તાર 98.29 લાખ હેક્ટર છે અને ખરીફ સિઝનમાં કુલ 148 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનો વિસ્તાર 34.04 લાખ હેક્ટર છે. રાજ્યના 24 જિલ્લાઓમાં 80 ટકાથી વધુ ખેતીલાયક વિસ્તારમાં ઘઉં કે ડાંગરનું વાવેતર થાય છે. રાજ્યમાં ચાર જિલ્લાઓ એવા છે કે જેમાં ઘઉં અને ડાંગર બંનેની ખેતી 80 ટકાથી વધુ વિસ્તારમાં થાય છે. પાક વૈવિધ્યકરણ પ્રોત્સાહન યોજના હેઠળ, એવા પાકોની ખેતીને પ્રોત્સાહિત કરવામાં આવશે જે સરકારી ખરીદી પર નિર્ભર નથી, પરંતુ બજારની માગ અને નિકાસ માટે યોગ્ય છે.

Published On - 5:21 pm, Fri, 12 August 22

Next Article