AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023: ભારત માટે અલ નીનો મોટો ખતરો, ઓછો વરસાદની અસર ખેતીની સાથે અર્થવ્યવસ્થા પર થશે

વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત માટે ચોમાસું એક રીતે જીવનરેખા છે. કારણ કે લગભગ અડધા દેશના ખેતરોમાં સિંચાઈની સુવિધાનો અભાવ છે, જેના કારણે ખેડૂત વરસાદ પર નિર્ભર બની જાય છે. ચોમાસાને કારણે પાણી કુદરતી જળાશયો સુધી પહોંચે છે.

Monsoon 2023: ભારત માટે અલ નીનો મોટો ખતરો, ઓછો વરસાદની અસર ખેતીની સાથે અર્થવ્યવસ્થા પર થશે
Monsoon 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 1:22 PM
Share

વર્ષ 2018માં ભારતમાં અલ નીનોની અસર જોવા મળી હતી. આ કારણે તે વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહ્યું હતું. ત્યારથી, 2019, 2020, 2021 અને 2022 માં સતત 4 વર્ષ સુધી, ભારતમાં ચોમાસાની સ્થિતિ સારી રહી છે. આ વર્ષે ફરી એકવાર ચોમાસાની સ્થિતિ નબળી રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે આ ચોમાસામાં અલ નીનો વિકસિત થવાની લગભગ 70 ટકા સંભાવના છે. જેના કારણે અર્થવ્યવસ્થા પર મોટો ખતરો ઉભો થઈ શકે છે. પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા મોટાભાગના ઉભરતા બજારોની તુલનામાં ભારત હજુ પણ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અને સારી સ્થિતિ ધરાવતી અર્થવ્યવસ્થા છે.

સરકારે ખેડૂતો માટે વધારાના પગલાં લેવાની જરૂર

બીજી તરફ, 11 એપ્રિલે, IMD એ હવામાનમાં ફેરફારનો ફરીથી અભ્યાસ કર્યો, તો અલ નીનોની સંભાવના 50 ટકા દર્શાવવામાં આવી. એવું કહેવામાં આવ્યું છે કે સરકારે ખેડૂતો માટે વધારાના પગલાં લેવાની જરૂર છે. મીડિયા અહેવાલો અનુસાર, પૂર્વીય વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરનું ઉષ્ણતામાન ચોમાસાને અવરોધે છે અને સમગ્ર વિશ્વમાં આબોહવા પરિવર્તનનું કારણ બને છે. આ સમય દરમિયાન ભારતમાં વારંવાર દુકાળ પડે છે.

આ પણ વાંચો : Corona Virus: કોરોના અંગે નિષ્ણાતોની મોટી ચેતવણી, મે મહિનામાં દરરોજ આવશે 50 હજારથી વધારે કેસ

અલ નીનોની જૂન, જુલાઈ, ઓગસ્ટની સિઝનમાં 70 ટકા સંભાવના

IMDએ શુક્રવારે જણાવ્યું હતું કે જૂન, જુલાઈ, ઓગસ્ટની સિઝનમાં અલ નીનોની 70 ટકા સંભાવના છે અને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરની સિઝનમાં આ સંભાવના વધીને 80 ટકા થઈ જશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અલ નીનોની શરૂઆત સાથે, કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને IMD યોજના તૈયાર કરવા માટે બેઠકો યોજી રહ્યા છે.

સિંચાઈની સુવિધાનો અભાવે ખેડૂતો વરસાદ પર નિર્ભર બની જાય છે

વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત માટે ચોમાસું એક રીતે જીવનરેખા છે. કારણ કે લગભગ અડધા દેશના ખેતરોમાં સિંચાઈની સુવિધાનો અભાવ છે, જેના કારણે ખેડૂત વરસાદ પર નિર્ભર બની જાય છે. ચોમાસાને કારણે પાણી કુદરતી જળાશયો સુધી પહોંચે છે, જ્યાંથી વીજળી ઉત્પાદન, કારખાનાઓ અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

IMD તરફથી મળેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારોને તૈયારી માટેના અનુમાન વિશે જાણકારી આપવામાં આવી રહી છે. આ વર્ષે, IMD ભારતના 700 જિલ્લાઓમાં કૃષિ-હવામાન સંબંધી સલાહકાર સેવાઓ અને આગાહીઓ પ્રદાન કરશે. જેથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા તેનો પ્રસાર કરી શકાય.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">