AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon 2023: ભારત માટે અલ નીનો મોટો ખતરો, ઓછો વરસાદની અસર ખેતીની સાથે અર્થવ્યવસ્થા પર થશે

વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત માટે ચોમાસું એક રીતે જીવનરેખા છે. કારણ કે લગભગ અડધા દેશના ખેતરોમાં સિંચાઈની સુવિધાનો અભાવ છે, જેના કારણે ખેડૂત વરસાદ પર નિર્ભર બની જાય છે. ચોમાસાને કારણે પાણી કુદરતી જળાશયો સુધી પહોંચે છે.

Monsoon 2023: ભારત માટે અલ નીનો મોટો ખતરો, ઓછો વરસાદની અસર ખેતીની સાથે અર્થવ્યવસ્થા પર થશે
Monsoon 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 1:22 PM
Share

વર્ષ 2018માં ભારતમાં અલ નીનોની અસર જોવા મળી હતી. આ કારણે તે વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહ્યું હતું. ત્યારથી, 2019, 2020, 2021 અને 2022 માં સતત 4 વર્ષ સુધી, ભારતમાં ચોમાસાની સ્થિતિ સારી રહી છે. આ વર્ષે ફરી એકવાર ચોમાસાની સ્થિતિ નબળી રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે આ ચોમાસામાં અલ નીનો વિકસિત થવાની લગભગ 70 ટકા સંભાવના છે. જેના કારણે અર્થવ્યવસ્થા પર મોટો ખતરો ઉભો થઈ શકે છે. પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા મોટાભાગના ઉભરતા બજારોની તુલનામાં ભારત હજુ પણ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અને સારી સ્થિતિ ધરાવતી અર્થવ્યવસ્થા છે.

સરકારે ખેડૂતો માટે વધારાના પગલાં લેવાની જરૂર

બીજી તરફ, 11 એપ્રિલે, IMD એ હવામાનમાં ફેરફારનો ફરીથી અભ્યાસ કર્યો, તો અલ નીનોની સંભાવના 50 ટકા દર્શાવવામાં આવી. એવું કહેવામાં આવ્યું છે કે સરકારે ખેડૂતો માટે વધારાના પગલાં લેવાની જરૂર છે. મીડિયા અહેવાલો અનુસાર, પૂર્વીય વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરનું ઉષ્ણતામાન ચોમાસાને અવરોધે છે અને સમગ્ર વિશ્વમાં આબોહવા પરિવર્તનનું કારણ બને છે. આ સમય દરમિયાન ભારતમાં વારંવાર દુકાળ પડે છે.

આ પણ વાંચો : Corona Virus: કોરોના અંગે નિષ્ણાતોની મોટી ચેતવણી, મે મહિનામાં દરરોજ આવશે 50 હજારથી વધારે કેસ

અલ નીનોની જૂન, જુલાઈ, ઓગસ્ટની સિઝનમાં 70 ટકા સંભાવના

IMDએ શુક્રવારે જણાવ્યું હતું કે જૂન, જુલાઈ, ઓગસ્ટની સિઝનમાં અલ નીનોની 70 ટકા સંભાવના છે અને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરની સિઝનમાં આ સંભાવના વધીને 80 ટકા થઈ જશે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અલ નીનોની શરૂઆત સાથે, કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને IMD યોજના તૈયાર કરવા માટે બેઠકો યોજી રહ્યા છે.

સિંચાઈની સુવિધાનો અભાવે ખેડૂતો વરસાદ પર નિર્ભર બની જાય છે

વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત માટે ચોમાસું એક રીતે જીવનરેખા છે. કારણ કે લગભગ અડધા દેશના ખેતરોમાં સિંચાઈની સુવિધાનો અભાવ છે, જેના કારણે ખેડૂત વરસાદ પર નિર્ભર બની જાય છે. ચોમાસાને કારણે પાણી કુદરતી જળાશયો સુધી પહોંચે છે, જ્યાંથી વીજળી ઉત્પાદન, કારખાનાઓ અને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

IMD તરફથી મળેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારોને તૈયારી માટેના અનુમાન વિશે જાણકારી આપવામાં આવી રહી છે. આ વર્ષે, IMD ભારતના 700 જિલ્લાઓમાં કૃષિ-હવામાન સંબંધી સલાહકાર સેવાઓ અને આગાહીઓ પ્રદાન કરશે. જેથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા તેનો પ્રસાર કરી શકાય.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">