ખેડુતો માટે એલર્ટ! હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાનની ચેતવણી, ચોમાસાને પણ થશે અસર?

|

May 14, 2021 | 1:46 PM

ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રની મોસમી પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉથલપાથલ થઈ રહી છે.

ખેડુતો માટે એલર્ટ! હવામાન વિભાગ દ્વારા ચક્રવાતી તોફાનની ચેતવણી, ચોમાસાને પણ થશે અસર?
File Photo

Follow us on

ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રની મોસમી પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉથલપાથલ થઈ રહી છે. આ સમયે અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ છે. આવી સ્થિતિમાં, 16 થી 19 મે સુધીમાં ચક્રવાત તોફાન આવી શકે તેવી સંભાવના છે. જો આ ચક્રવાત આવે તો તેની અસર ચોમાસા પર પડે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનથી શરૂ થાય છે. હવામાન વિભાગે તેની આગાહીમાં કહ્યું છે કે આ વખતે ચોમાસું સમયસર આવશે.

કૃષિ નિષ્ણાતો કહે છે કે આશરે 40 ટકા લોકો ખેતીના પાણી માટે ચોમાસા પર આધાર રાખે છે. ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો કે જે અનાજનું ઉત્પાદન કરે છે, પંજાબ, યુપી, હરિયાણા, બિહાર વગેરેમાં સિંચાઈના અન્ય વિકલ્પો છે, જેના કારણે ચોમાસાના વરસાદ પરની તેમની નિર્ભરતા ઓછી છે. હવે સમસ્યા એવા વિસ્તારોમાં છે, જ્યાં સિંચાઈ માટે ટ્યુબવેલનો ઉપયોગ થતો નથી અને જ્યાં ખેડુતો સંપૂર્ણપણે કેનાલ અને ચોમાસા પર આધારીત છે. હાલ ઘણા વિસ્તારોમાં ધીરે ધીરે ભૂગર્ભ જળનું સ્તર ઘટી રહ્યું છે, જેથી ચોમાસાના અભાવને લીધે ગંભીર પરિસ્થિતિ થશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

હવામાન વિભાગ કહે છે કે જો વાવાઝોડું આવશે તો તેની અસર ચોમાસા પર પણ પડે છે કારણ કે ચોમાસાના પવન તોફાનથી પ્રભાવિત હોય છે. હવે જોવાનું એ રહે છે કે વાવાઝોડાની દિશા કઈ રહે છે. ઓછા વરસાદથી ખેડુતો અને સરકારની ચિંતાઓ વધશે કારણે કે, ખરીફ પાકની વાવણી 15 જૂનથી શરૂ થશે. જો જૂન મહિનામાં ચોમાસાનો વરસાદ પડે તો તેની સીધી અસર ખરીફ પાકના ઉત્પાદન પર પડશે.

Next Article