AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસમાં 25 ટકાનો ઉછાળો

આ અંગેની માહિતી કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે(Anupriya Patel)લોકસભામાં આપી છે. તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ 10 મહિનામાં ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસમાં 25 ટકાનો ઉછાળો આવ્યો છે.

નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસમાં 25 ટકાનો ઉછાળો
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 8:22 AM
Share

ભારત કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની નવી વાર્તા લખી રહ્યું છે. જે અંતર્ગત ભારતમાં અનેક ખાદ્યાન્ન અને કૃષિ પેદાશો (Agriculture Product)નું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. જેમાંથી હવે દુનિયાની જરૂરિયાતો પણ પૂરી થઈ રહી છે. ખેડૂતોની આ મહેનત ભારતીય અર્થવ્યવસ્થા(Economy)ને પણ મજબૂત બનાવી રહી છે. આ અંગેની માહિતી કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે(Anupriya Patel)લોકસભામાં આપી છે. તેમના દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ 10 મહિનામાં ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસમાં 25 ટકાનો ઉછાળો આવ્યો છે.

10 મહિનામાં 40.87 અરબ ડોલરની નિકાસ

કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા સિંહ પટેલે બુધવારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ 10 મહિનામાં ભારતની કૃષિ પેદાશોની નિકાસ 40.87 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ આંકડા પ્રથમ 10 મહિના એટલે કે એપ્રિલ 2021 અને જાન્યુઆરી 2022 વચ્ચેના છે.

લોકસભામાં તેમના જવાબમાં, તેમણે કહ્યું કે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન, ભારતના કૃષિ ઉત્પાદનોની નિકાસમાંથી 32.66 બિલિયન યુએસ ડોલરની આવક થઈ હતી. આ વર્ષે, પ્રથમ 10 મહિનામાં, 40.87 અબજ યુએસ ડોલરની કમાણી થઈ છે. આ રીતે 25.14 ટકાનો વધારો નોંધાયો છે.

આ કૃષિ ઉત્પાદનોની નિકાસમાં વધારો

કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી અનુપ્રિયા સિંહ પટેલે લોકસભામાં જવાબ આપતાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઘઉં, ખાંડ અને કપાસ જેવા મુખ્ય કૃષિ ઉત્પાદનોની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. પટેલે જણાવ્યું હતું કે જે ઉત્પાદનો માટે લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યા હતા તેમાંથી અન્ય ઘણા કૃષિ ઉત્પાદનો જેમ કે ચોખા, કોફી, તૈયાર અનાજ, માંસ, ડેરી અને મરઘાં ઉત્પાદનો અને દરિયાઈ ઉત્પાદનો 2021ના લક્ષ્યાંકને હાંસલ કરવાની ખૂબ નજીક આવી ગયા છે.

ખેડૂતોની આવક પર સારી અસર પડશેઃ પટેલ

કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે લોકસભામાં જણાવ્યું હતું કે કૃષિ નિકાસમાં વધારો થવાથી ખેડૂતોની આવકમાં સુધારો થાય છે અને તેની આવક પર સકારાત્મક અસર પડે છે. તેમણે કહ્યું કે ખેડૂતોને નિકાસનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે, સરકારે ખેડૂત ઉત્પાદક સંગઠન કંપનીઓ (FPOs/FPC) અને સહકારી સંસ્થાઓને નિકાસકારો સાથે સીધો સંપર્ક કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કિસાન કનેક્ટ પોર્ટલ શરૂ કર્યું છે.

આ પણ વાંચો: Viral: શખ્સે હાથી પર ચડીને કર્યો ગજબનો સ્ટંટ, લોકોએ કહ્યું ‘પરફેક્ટ લેન્ડિંગ’

આ પણ વાંચો: EAM એસ જયશંકરે યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ બ્લિંકન સાથે ફોન પર વાત કરી, યુક્રેન સંકટ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">