પાંદડાવાળા શાકભાજી માટે ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો, આ પદ્ધતિઓથી મળી શકે છે સારુ ઉત્પાદન

|

Mar 26, 2022 | 2:42 PM

છોડને વધવા માટે આ મેક્રો-પોષક તત્વો(Macro-nutrient requirement)ની જરૂર પડે છે અને આ માટી બૂસ્ટર વિના છોડની વૃદ્ધિ અને ઉપજમાં ઘટાડો થાય છે.

પાંદડાવાળા શાકભાજી માટે ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો, આ પદ્ધતિઓથી મળી શકે છે સારુ ઉત્પાદન
Vegetables Farming
Image Credit source: File Photo

Follow us on

શું તમે પાંદડાવાળા શાકભાજી (Leafy Vegetables) ઉગાડવાની યોજના બનાવી રહ્યા છો? અથવા તો ઉગાડી રહ્યો છો તો આજે અમે તમને પાંદડાવાળા શાકભાજી માટે ખાતરના ઉપયોગ વિશે વાત કરીશું. અમે તમને જણાવી દઈએ કે એનપીકે (NPK) એ નાઈટ્રોજન (N), ફોસ્ફરસ (P) અને પોટેશિયમ (K) મેક્રો-પોષક તત્વોથી બનેલું એક કાર્બનિક ખાતર છે. છોડને વધવા માટે આ મેક્રો-પોષક તત્વો (Macro-nutrient requirement)ની જરૂર પડે છે અને આ માટી બૂસ્ટર વિના છોડની વૃદ્ધિ અને ઉપજમાં ઘટાડો થાય છે.

પાંદડાવાળા શાકભાજી માટે ખાતરનું સંયોજન

લીલા પાંદડાવાળા શાકભાજી માટે NPK રેશિયો જેમ કે 20-10-10, 20-5-5, 20-20-20 વગેરે જરૂરી છે. જણાવી દઈએ કે તેમની સંખ્યા જેટલી વધુ હશે, તેટલી ઉપજ વધુ કેન્દ્રિત અને અસરકારક રહેશે. જો કે, કેટલાક છોડને વધુ સારી વૃદ્ધિ માટે વધુ નાઈટ્રોજન, કેટલાક વધુ ફોસ્ફરસ અથવા પોટેશિયમની જરૂર પડી શકે છે.

પાંદડાવાળા શાકભાજી માટે નાઈટ્રોજન

નાઈટ્રોજન (Nitrogen) જમીનમાં સમાયેલ છે. જમીનમાં નાઈટ્રોજનની યોગ્ય માત્રા ઉમેરવાથી જમીનમાં નાઈટ્રોજનનું સ્તર વધે છે, જે લેટ્યુસ, કોબી અને કોથમીર જેવા પાંદડાવાળા લીલા છોડના વિકાસ માટે મોટાભાગે જવાબદાર છે. મોટા પાંદડાવાળા છોડ અને લાંબા લીલા દાંડી ઉગાડવું એ એક પ્રક્રિયા છે જે નાઇટ્રોજન પોષક તત્વો પર ખૂબ આધાર રાખે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પાંદડાવાળા શાકભાજી માટે ફોસ્ફરસ

આ મેક્રોન્યુટ્રિઅન્ટ (Phosphorus) તેના લાંબા સમય સુધી ટકી રહેલા માટીના ગુણોને કારણે ફળો, ફૂલો, બીજ અને મૂળના વિકાસ માટે મોટાભાગે જવાબદાર છે. પાંદડાવાળા ગ્રીન્સમાં આ પોષક તત્વોની કમી છે કે કેમ તે ફૂલ અને ફળની ઉપજ ઓછી, નબળા અને અજીબ દેખાવથી જાણી શકાય છે અને વધુ માત્રામાં ઝીંક અને અન્ય પોષક તત્વો જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો છોડના સેવનને મર્યાદિત કરી દે છે.

પાંદડાવાળા શાકભાજી માટે પોટેશિયમ

પાંદડાવાળા લીલા શાકભાજીમાં કેલરી ઓછી હોય છે અને તેમાં ઘણા વિટામિન અને ખનિજો હોય છે. તેથી, આમાંના મોટાભાગના શાકભાજીને પોટેશિયમ સારી માત્રામાં આપવામાં આવે છે.

શું છે પાંદડાવાળા શાકભાજીનો સાચો NPK ગુણોત્તર

જમીન પર લગાવ્યા બાદ છોડ જે રીતે પ્રતિક્રિયા આપે છે તે ત્રણ તત્વો (NPKs) વચ્ચેના ગુણોત્તર પર આધાર રાખે છે. જો કે, NPK ગુણોત્તર મેળવવા માટે દરેક પોષક તત્વોનું પ્રતિનિધિત્વ કરતી ત્રણ સંખ્યાઓમાંથી સૌથી નાની સંખ્યાને વિભાજિત કરો.

ઉદાહરણથી સમજીએ, 20 -10 -10 નું એક NPK ખાતર 2:1:1 નો ગુણોત્તર દર્શાવે છે. એટલે કે, નાઈટ્રોજનનું પ્રમાણ પોટેશિયમ અને ફોસ્ફરસની માત્રા કરતાં બમણું છે. ઉપરોક્ત NPK ગુણોત્તર પાંદડાવાળા શાકભાજી માટે સારો છે અને તે છોડ માટે તેમના પ્રારંભિક તબક્કામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.

પાંદડાવાળા શાકભાજી માટે ખાતર નાખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

પાંદડાવાળા શાકભાજી માટે NPK ખાતર પસંદ કરતી વખતે NPK ખાતરના ગુણોત્તરને તપાસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે આ ગુણોત્તરનો ઉપયોગ છોડના વિકાસના દરેક તબક્કે થવો જોઈએ. જો કે, વધુ નાઇટ્રોજન છોડના વિકાસને અટકાવે છે.

નોંધ: ઉપરોક્ત માહિતી કૃષિ નિષ્ણાંતો અનુસાર છે છોડની વાસ્તવિક જરૂરીયાત જે તે વિસ્તાર અને આબોહવા તેમજ જમીનના પ્રકાર આધારીત હોય શકે છે એટલે કોઈ પણ બાબતના અમલ પહેલા કૃષિ નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Success Story: એક એકર જમીનમાં 65 ક્વિન્ટલ હળદરનું કર્યું ઉત્પાદન, જાણો પ્રગતિશીલ ખેડૂતે કેવી રીતે કર્યું આ કમાલ

આ પણ વાંચો: Cumin Farming: ICAR એ વિકસાવી જીરુંની નવી જાત, ઓછા પિયત અને 105 દિવસમાં થશે તૈયાર

Next Article