ખેડૂતોએ જુલાઈ માસમાં ફળ પાકમાં કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી

|

Jul 15, 2021 | 10:52 AM

ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ જુલાઈ માસમાં ફળ પાકમાં કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી
ફળ પાક

Follow us on

ખેડૂતોએ (Farmers) જૂન માસમાં ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. પરંતુ વરસાદ (Rain) ખેંચાતા અને પિયતના અભાવે લગભગ ઘણા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે જુદા-જુદા ફળ પાકમાં (Fruit Crops) કયા ખેતી કાર્યો કરવા.

કેળ

1. ભલામણ જાતો: ગ્રાન્ડ નાઈન, બરસાઈ, શ્રોમંતિ, ગ્રાડનેઈન, લોખંડી, રોબસ્ટા વગેરે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

2. વાવેતર સમય: ૧૫ જુન થી ૧૫ ઓગસ્ટ

3. અંતર: ૧.૮*૧.૮ મી. અથવા ૧*૧. ૨*૨.૦મિ.ના જોડિયા હારમાં

4. કેળ સાથે હળદર તેમજ શાકભાજીના આંતરપાક તરીકે લઇ શકાય

5. કેળની નેઇન જાત માટે ૩૦૦ ગ્રામ નાઈટ્રોજન, ૪ કિલો વર્મીકમ્પોસ્ટ, એક સરખા ચાર હપ્તે આપવું. ઉપરાંત ૯૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૦૦ ગ્રામ ફેર રોપણીના ત્રીજા મહિને આપવું.

જામફળ

1. જામફળનાં ઝાડ દીઠ ૩૭૫-૧૮૮-૧૮૮ ગ્રામ એન.પી.કે. દ્રાવ્ય ખાતર ચાર સરખા હપ્તામાં આપવું.

આંબા

1. આંબામાં નવીનીકરણ અપનાવો તેમાં જુના આંબાની તેની ડાળીઓ દુર કરો. વર્ષમાં ૩ કોમર્શિયલ ઉત્પાદન આપતો થશે.

કેળ–પૈપૈયા

1. કેળ-પૈપૈયાની એકાંતરે હાર રોપણી પદ્ધતિથી વાવેતર કરો.

પપૈયા

1. પપૈયામાં ૬ કિલો છાણીયું ખાતર, ૧૫૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૦૦ ગ્રામ ફોસ્ફરસ અને ૨૫૦ ગ્રામ પોટાશ
છોડ દિઠ રોપણી બાદ બીજા, ત્રીજા અને ચોથા મહિનો એક સરખા હપ્તામાં આપવું.

ચીકુ

1. ચીકુની ૦.૫ સેમી ઝાડાઈની સ્લાઈસને સોલાર ડ્રાયર દ્વારા સુકવણી સંગ્રહ કરવાથી ૬ માસ સુધી ગુણવતા જળવાઈ રહે છે.

નાળીયેરી

1. નાળીયેરીના પાકમાં લીલા પડવાશનો ઉપયોગ કરવો.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

Next Article