AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતો જુદા-જુદા ફળ પાકોમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે તો મળશે વધારે પાક ઉત્પાદન

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતો જુદા-જુદા ફળ પાકોમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે તો મળશે વધારે પાક ઉત્પાદન
Fruit Crops
| Updated on: Jan 10, 2024 | 12:47 PM
Share

ખેડૂતો સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે.

પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેથી તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે જુદા-જુદા ફળ પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

ફળ પાકોમાં ખેતી કાર્યો અને રોગ જીવાત નિયંત્રણ

નાળીયેરી : નાળીયેરીમાં સંકર જાતો વિકસાવવામાં આવેલી છે. તેમાં ડીટી તેમજ તીડી હાઇબ્રીડ જાતો દરિયાઈ કાંઠાના વિસ્તાર માટે વધુ ડીસેમ્બર અથવા જાન્યુઆરી વાવેતર કરવું અનુકુળ છે.

આંબા : મધીયાના નિયંત્રણ માટે જીવાતનો ઉપદ્રવ વધી ગયો હોય તો સાયપરમેથ્રીન ૧૦ ટકા ઈ.સી. ૪ મી.લી. અથવા ફેનવાલેટર ૨૦ ટકા ઈ.સી., ૫.૪ મી.લી. ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. આ ઉપરાંત ભૂકી છારાનો ઉપદ્રવ જણાય તો દ્રાવ્ય ગંધક ૮૦ પાવડર ૨૫ ગ્રામ અથવા ડીનોકેપ(કેરેથીન) ૬ મી.લી. અથવા હેકઝાકોનેઝોલ ૧૦ મી.લી. ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

જામફળ : ફળો ઉતારી લીધા બાદ પાક પૂરો થયે ઝાડને આરામ આપવો. છાલ કોરીખાનાર ઈયળના નિયંત્રણ માટે હંગાર સાફ કરી ૧૦ લીટર પાણીમાં કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. ૨૫ મી.લી.નું દ્રાવણ ઝાડના થડ ફરતે છાલમાં છાંટવું કે કેરોસીનનું પોતું પૂરી કાણા ચીકણી માટીથી બંધ કરવા.

આ પણ વાંચો : ખેડૂતો ડુંગળી અને લસણના પાકમાં વધારે ઉત્પાદન લેવા રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરો આ ખેતી કાર્યો

પપૈયા : જૈવિક નિયંત્રણ ટ્રાઈકોડર્માં આધારિત કલ્ચર છાણીયા ખાતરમાં મિશ્ર કરી થડની ફરતે જમીનમાં આપવું. થડ ફરતે જમીનની ૪૦ થી ૫૦ સે.મી. ઊંચાઈ સુધી બોર્ડોપેસ્ટ લગાવવી.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">