વરીયાળીની ખેતી કરી ખેડૂતો મેળવી શકે છે સારો એવો નફો, જાણો તેની ખેતી વિશે સંપૂર્ણ માહિતી

|

Jan 05, 2022 | 2:33 PM

વરીયાળીમાં પાચક અને બળતરા વિરોધી બંને ગુણ હોય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન તેમજ ઇથેનોલ, લિમોઝીન, ફેકન વગેરે જેવા ઘટકો હોય છે.

વરીયાળીની ખેતી કરી ખેડૂતો મેળવી શકે છે સારો એવો નફો, જાણો તેની ખેતી વિશે સંપૂર્ણ માહિતી
Fennel Cultivation (File Photo)

Follow us on

ભારત પ્રાચીન સમયથી મસાલાની ભૂમિ માટે જાણીતું છે. મુખ્ય બીજ મસાલા પાકોમાં જીરું, ધાણા, મેથી, વરીયાળી વગેરે મુખ્ય છે. તેમાંથી વરીયાળી (Fennel)એ ભારતનો મહત્વનો મસાલા પાક છે. રવી અને ખરીફ બંને સિઝનમાં તેની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે, પરંતુ ખરીફ સિઝન (Kharif season)માં વધુ પડતા વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની શક્યતા છે.

વરીયાળીની ખેતી માટે રવી સિઝન (Ravi season)શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ સિઝનમાં જીવાતો અને રોગોનો ઉપદ્રવ ઓછો હોય છે અને વરસાદને કારણે પાક નિષ્ફળ જવાનો ભય રહેતો નથી અને ખરીફની સરખામણીમાં ઉત્પાદન પણ વધે છે.

વરીયાળીમાં પાચક અને બળતરા વિરોધી બંને ગુણ હોય છે. તેમાં પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન તેમજ ઇથેનોલ, લિમોઝીન, ફેકાન વગેરે જેવા ઘટકો હોય છે. આ સિવાય વરીયાળીમાં એનાલજેસિક, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આબોહવા:
વરીયાળીના સારા ઉત્પાદન માટે શુષ્ક અને ઠંડુ વાતાવરણ શ્રેષ્ઠ છે. બીજના અંકુરણ માટે યોગ્ય તાપમાન 20-29 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને પાકના સારા વિકાસ માટે 15-20 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન યોગ્ય છે.

જમીન:
વરીયાળીની ખેતી(Fennel Cultivation), રેતાળ જમીન સિવાય, અન્ય તમામ પ્રકારની જમીન કે જેમાં કાર્બનિક પદાર્થો પૂરતા પ્રમાણમાં હાજર હોય અને જમીનમાં pH 6.6 થી 8.0 ની વચ્ચે હોય. જેમાં સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે.

જમીનની તૈયારી:
જમીનની તૈયારી માટે સૌપ્રથમ એક કે બે ખેડાણ માટી ફેરવતા હળ વડે કરવું જોઈએ. આ પછી, જમીનને ભરભરી બનાવ્યા પછી અને ખેતરને સમતળ કર્યા પછી, અનુકૂળતા મુજબ ક્યારાઓ બનાવવા જોઈએ.

સુધારેલી જાતો:

RF-105, RF-125, PF-35, ગુજરાત સૌફ-1, ગુજરાત સૌફ-2, ગુજરાત સૌફ-11, CO-11, હિસાર સ્વરૂપ, NRCSSSAF-1

વાવણીનો સમય:
વરીયાળી લાંબા સમયનો પાક છે, તેથી રવી સિઝનની શરૂઆતમાં તેની વાવણી કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. વરીયાળીનું વાવેતર સીધું ખેતરમાં અથવા નર્સરીમાં રોપાઓ તૈયાર કરીને કરી શકાય છે. તેની વાવણી માટે ઓક્ટોબરનું પ્રથમ સપ્તાહ શ્રેષ્ઠ છે. જુલાઈ-ઓગસ્ટ મહિનામાં નર્સરીમાં વાવણી કરવામાં આવે છે અને 45-60 દિવસ પછી વાવેતર કરવામાં આવે છે.

બીજની માવજત:
વાવણી પહેલાં, બીજને ફૂગનાશક બાવિસ્ટિન (દર કિલો બીજ દીઠ 2 ગ્રામ) વડે પટ આપો અથવા બીજને કાર્બનિક ફૂગનાશક ટ્રાઇકોડર્મા (8-10 ગ્રામ પ્રતિ કિલો બીજ) નો પટ આપી વાવેતર કરો.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે  નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: લખનૌ-કાનપુર એક્સપ્રેસ વેમાં 3D AMG ટેક્નોલોજીનો થશે ઉપયોગ, જાણો શું છે અને કેવી રીતે થશે ફાયદો

આ પણ વાંચો: Viral: આને કહેવાય નસીબ, ટ્રક અને કાર વચ્ચેથી બાઈક સવાર ગોળીની જેમ નીકળ્યો

Next Article