ખાદ્યતેલના ભાવમાં 50 ટકાનો વધારો થયો, સરકારે ભાવને કંટ્રોલ કરવા માટે સ્ટોક લિમિટનો આદેશ આપ્યો

ગ્રાહક મંત્રાલયના ડેટા અનુસાર, આ વર્ષે 9 ઓક્ટોબરે સોયા તેલની સરેરાશ કિંમત 154.95 રૂપિયા પ્રતિ કિલો હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાના 106 રૂપિયા કરતા 46.15 ટકા વધારે છે.

ખાદ્યતેલના ભાવમાં 50 ટકાનો વધારો થયો, સરકારે ભાવને કંટ્રોલ કરવા માટે સ્ટોક લિમિટનો આદેશ આપ્યો
Edible Oil
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 7:49 PM

સ્થાનિક બજારમાં ભાવમાં નરમાઈ લાવવા માટે સરકારે રવિવારે ખાદ્યતેલોના (Edible Oil) વેપારીઓ પર 31 માર્ચ સુધી સ્ટોક અથવા સ્ટોરેજની મર્યાદા લાદી હતી. જોકે કેટલાક આયાતકારો-નિકાસકારોને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.

NCDEX પ્લેટફોર્મ પર 8 ઓક્ટોબરથી સરસવના તેલના વાયદાના વેપાર પર પહેલેથી જ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, છેલ્લા એક વર્ષ દરમિયાન સ્થાનિક રિટેલ બજારોમાં ખાદ્યતેલોના ભાવમાં 46.15 ટકાનો વધારો થયો છે. સ્થાનિક બજારમાં પુરવઠાને અસર થવાને કારણે વૈશ્વિક પરિબળો ઉપરાંત ખાદ્ય તેલના ભાવ વધી રહ્યા છે.

સરસવના ભાવમાં 43 ટકાનો વધારો થયો ગ્રાહક મંત્રાલયના ડેટા અનુસાર, આ વર્ષે 9 ઓક્ટોબરે સોયા તેલની સરેરાશ કિંમત 154.95 રૂપિયા પ્રતિ કિલો હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાના 106 રૂપિયા કરતા 46.15 ટકા વધારે છે. એ જ રીતે સરસવ તેલની કિંમત 129.19 રૂપિયાથી 43 ટકા વધીને 184.43 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, શાકભાજીના ભાવ 95.5 રૂપિયાથી 43 ટકા વધીને 136.74 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

સૂર્યમુખી તેલ 38.48 ટકા વધીને 170.09 રૂપિયા પ્રતિ કિલો અને પામ તેલ 38 ટકા વધીને 132.06 રૂપિયા પ્રતિ કિલો થયું છે. ભારત તેની ખાદ્યતેલની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રના આ નિર્ણયથી સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે. તેનાથી દેશભરના ગ્રાહકોને રાહત મળશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચા ભાવને કારણે કિંમતો વધી તમામ રાજ્યો માટે બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપલબ્ધ સ્ટોક અને વપરાશ પેટર્નના આધારે ખાદ્ય તેલ અને તેલીબિયાંની સંગ્રહ મર્યાદા નક્કી કરશે. જોકે, કેટલાક આયાતકારો અને નિકાસકારોને સ્ટોક મર્યાદામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ મુક્તિ તે નિકાસકારોને ઉપલબ્ધ થશે જેમની પાસે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જારી કરાયેલ આયાતકાર-નિકાસકાર કોડ છે.

આ ઉપરાંત, આવા આયાતકારોને છૂટ આપવામાં આવશે જેઓ કહી શકશે કે ખાદ્ય તેલ અને તેલીબિયાંના સંદર્ભમાં તેમના સ્ટોકનો એક ભાગ આયાત કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉંચા ભાવને કારણે સ્થાનિક બજારમાં પણ ખાદ્યતેલોના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો : નીતિન ગડકરીએ ક્રૂડ ઓઇલ અને ઇંધણ ગેસની આયાત પર નિર્ભરતા ઘટાડવા પર ભાર મૂક્યો, તેમના ડીઝલ ટ્રેક્ટરને સીએનજીમાં રૂપાંતરિત કર્યું

આ પણ વાંચો : Lakhimpur Kheri Case: આશિષ મિશ્રા ધરપકડ બાદ ધ્રુજતો હતો, જેલ પહોંચતા જ પરસેવો વળી ગયો, જેલમાં આવી રહી તેની પહેલી રાત

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">