અરહર અને અડદના ભાવમાં 15 ટકાનો વધારો, આગામી સિઝનમાં ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધી શકે છે

|

Aug 10, 2022 | 6:46 PM

તુવેરના વાવેતરમાં એક વર્ષ અગાઉની સરખામણીએ 4.6 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અડદના વાવેતરમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. મુખ્ય તુવેર ઉગાડતા વિસ્તારોમાં ભારે વરસાદ પછી પાણી ભરાવાથી પાકને નોંધપાત્ર નુકસાન થયું છે.

અરહર અને અડદના ભાવમાં 15 ટકાનો વધારો, આગામી સિઝનમાં ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધી શકે છે
દાળના ભાવમાં વધારો થયો છે
Image Credit source: TV9 (ફાઇલ ફોટો)

Follow us on

છેલ્લા કેટલાક સપ્તાહમાં અડદ અને તુવેર દાળના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. ભારે વરસાદના કારણે કઠોળના પાકને થયેલ નુકસાન, જૂનો ઓછો સ્ટોક અને વાવેતર વિસ્તાર ઘટવાને કારણે આગામી સમયમાં ભાવમાં વધુ વધારો થવાની ધારણા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના લાતુરમાં સારી ગુણવત્તાની તુવેર દાળની કિંમત છેલ્લા 6 અઠવાડિયામાં 97 રૂપિયાથી વધીને 115 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના વાવણીના આંકડા અનુસાર, તુવેરના વાવેતરમાં એક વર્ષ અગાઉની સરખામણીમાં 4.6 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે અડદના વાવેતરમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો છે. મુખ્ય તુવેર ઉગાડતા વિસ્તારોમાં ભારે વરસાદ પછી પાણી ભરાવાથી પાકને નોંધપાત્ર નુકસાન થયું છે. મયુર ગ્લોબલ કોર્પોરેશનના હર્ષ રાયે ઈકોનોમિક ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં તુવેરના ભાવમાં વધારો કરવા માટે વાતાવરણ તેના પક્ષમાં છે. ખેડૂતોના સોયાબીન તરફના ઝોકને કારણે તુવેરની વાવણીમાં ઘટાડો થયો છે ત્યારે ત્યાં કોઈ મોટો કેરી-ઓવર સ્ટોક નથી.

અડદના ભાવ ઘટી શકે છે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અતિવૃષ્ટિને કારણે અડદના પાકને ઘણું નુકસાન થવાની આશંકા છે. જોકે, આયાતમાં વધારાની અપેક્ષાઓ વચ્ચે સપ્લાય પર અસર થવાની શક્યતા ઓછી છે. 4P ઈન્ટરનેશનલના મેનેજિંગ ડિરેક્ટર બી કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં અડદના પાકને થોડું નુકસાન થયું છે, પરંતુ સૌથી મોટા અને બીજા નંબરના સૌથી મોટા ઉત્પાદક રાજ્યો મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પાક સારી સ્થિતિમાં છે.

કૃષિમૂર્તિને અપેક્ષા છે કે વરસાદના નુકસાન છતાં અડદના ભાવ નીચા રહેશે, કારણ કે મ્યાનમારથી આયાત વધવાની ધારણા છે. તેમણે કહ્યું કે ચલણના મુદ્દાઓને કારણે ભારતને છેલ્લા ચાર મહિનામાં મ્યાનમારથી વધુ અડદ નથી મળી, જેના કારણે માસિક અડદની આયાતમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે. હવે મ્યાનમારથી નિકાસકારો માટે કરન્સીનો મુદ્દો સાનુકૂળ બન્યો છે, જે અમને આયાત કરવામાં મદદ કરશે.

દાળના ભાવમાં ઘટાડાથી રાહત

દરમિયાન, મસૂરના ભાવમાં ગ્રાહકોને થોડી રાહત મળી છે, જે એક વર્ષથી ઉંચી હતી. આયાતી આખી દાળની કિંમત 29 જૂનના રોજ 71.50 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 8 ઓગસ્ટના રોજ 67 રૂપિયા થઈ ગઈ છે. હર્ષ રાયે જણાવ્યું કે કેનેડા હાલમાં મસૂરના પાકની લણણી કરી રહ્યું છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે 40 ટકા વધુ ઉત્પાદન થવાની સંભાવના છે. ભારત ઝીરો ડ્યુટી પર મસૂરની આયાત કરે છે. તે જ સમયે, વેપારીઓ તેમના જૂના સ્ટોકને દૂર કરવા માટે ભાવમાં ઘટાડો કરી રહ્યા છે.

Published On - 6:44 pm, Wed, 10 August 22

Next Article