AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુપોષણને દૂર કરવા 13 રાજ્યોના 23 જિલ્લામાં 75 ન્યુટ્રી સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ, પાકમાં પોષણ મૂલ્ય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી તોમરે કહ્યું કે પોષક તત્વો વધારવામાં આપણા અનાજનું ખૂબ મહત્વ છે. તે આરોગ્યને મજબૂત બનાવે છે.

કુપોષણને દૂર કરવા 13 રાજ્યોના 23 જિલ્લામાં 75 ન્યુટ્રી સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ શરૂ, પાકમાં પોષણ મૂલ્ય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો
Narendra Singh Tomar
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 1:36 PM
Share

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) બુધવારે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રીકલ્ચર વુમન, ભુવનેશ્વરના પોષણ અભિયાન હેઠળ 13 રાજ્યોના 23 જિલ્લાઓમાં 75 ન્યુટ્રી સ્માર્ટ વિલેજ પ્રોગ્રામનો પ્રારંભ કર્યો. આ સંસ્થા ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) હેઠળ આવે છે. તોમરે કહ્યું કે ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે આપણી કોઈ પણ માતા, બહેન અને બાળક કુપોષિત ન રહે. તે સૌની સંયુક્ત જવાબદારી છે. લોકોના સારા સ્વાસ્થ્યના હેતુથી પાકમાં પોષણ મૂલ્ય (Nutrition Value) વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી તોમરે કહ્યું કે પોષક તત્વો વધારવામાં આપણા અનાજનું ખૂબ મહત્વ છે. તેઓ આરોગ્યને મજબૂત બનાવે છે. પહેલા ગરીબો પણ તેનું સેવન કરતા હતા, પરંતુ ધીમે ધીમે કુદરત સાથેનો તાલમેલ ગુમાવવાથી અને ભૌતિકતાની આંધળી દોડમાં, ખોરાકની થાળીમાંથી પોષક તત્વો ઓછા થતા ગયા, જેને ફરીથી વધારવાની જરૂર છે.

પોષણ વધારવાની જરૂર છે પોષણને પ્રોત્સાહન આપવાના સંદર્ભમાં ન્યુટ્રી સ્માર્ટ વિલેજ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તોમરે કહ્યું કે કુદરતે આપણને દરેક વસ્તુ પ્રદાન કરી છે જે માનવ શરીર અને માનવ જીવનમાં જરૂરી છે. આપણે સૌએ સાથે મળીને કુપોષણનો સામનો કરવો પડશે.

આ 75 ન્યુટ્રી સ્માર્ટ વિલેજ દ્વારા ગામડાઓમાં પોષણ વૃદ્ધિની સાંકળ બનાવવી જોઈએ. આ ગામડાઓમાં કુદરત દ્વારા આપવામાં આવતી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાની સાથે કુદરતી બહેતર ગુણવત્તાવાળા બીજનું વિતરણ કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં તમામ ઉત્પાદન પોષક તત્વોથી ભરપૂર હોય.

પૌષ્ટિક અનાજનો વપરાશ દરેક માટે જરૂરી તોમરે કહ્યું કે તેમણે પીડીએસ (જાહેર વિતરણ પ્રણાલી) દ્વારા અનાજના વિતરણ અંગે રાજ્ય સ્તરે જાગૃતિ લાવવાની પણ અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ICAR અને કૃષિ મંત્રાલયના સહયોગથી ઉદ્દેશ્ય સિદ્ધ થશે. કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે દરેક વ્યક્તિએ પોષણયુક્ત અનાજનું સેવન કરવું જરૂરી છે. જેમ કે તે ઘણા વર્ષો પહેલા દેશમાં ઘરે ઘરે પ્રચલિત હતું.

કુપોષણની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકારે લક્ષ્ય નક્કી કર્યું છે. જેના પર પૌષ્ટિક અનાજની નવી જાતો લાવવા સહિત અન્ય કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા કામગીરી ચાલી રહી છે. આ પ્રસંગે કૃષિ રાજ્યમંત્રી શોભા કરંદલાજે, કૃષિ સચિવ સંજય અગ્રવાલ, ICARના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ.આર.સી. અગ્રવાલ અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એગ્રીકલ્ચરલ વુમન, ભુવનેશ્વરના ડિરેક્ટર ડૉ. અનિલ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

આ જિલ્લાઓમાં ન્યુટ્રી સ્માર્ટ વિલેજની થઈ શરૂઆત પુરી, ખોરધા, કટક અને જગતસિંહપુર (ઓડિશા) સમસ્તીપુર અને મુઝફ્ફરપુર (બિહાર) જોરહાટ (આસામ) પશ્ચિમ ગારોહિલ્સ (મેઘાલય) ઉદયપુર (રાજસ્થાન) પરભણી (મહારાષ્ટ્ર) લુધિયાણા (પંજાબ) હિસાર, ફતેહાબાદ અને અંબાલા (હરિયાણા) નૈનીતાલ (ઉત્તરાખંડ) મંડી, કાંગડા અને હમીરપુર (હિમાચલ પ્રદેશ) બેંગલુરૂ ગ્રામીણ, ધારવાડ અને બેલગામ (કર્ણાટક) મદુરાઈ (તામિલનાડુ) રંગારેડ્ડી (તેલંગાણા)

આ પણ વાંચો : Mandi: બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6805 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

આ પણ વાંચો : આખરે એવું શું થયું કે રાતોરાત ગુલાબના ભાવ 5 ગણા વધી ગયા, શું ખેડૂતોને મળી રહેશે તેનો ફાયદો?

સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">