વડોદરાના કુખ્યાત ગેંગસ્ટર અજજુ કાણીયાનું મોત નિપજ્યું છે. વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા અજ્જુ કાણીયાની પાણીગેટના વર્ષ 2018ના મર્ડરના ગુનામાં સજા કાપી રહેલા આરોપી સુનિલ પરમાર સાથે જેલમાં જ માથાકૂટ થઇ હતી.જે દરમિયાન સુનીલ પરમાર નામના આરોપીએ અજ્જુ કાણીયાને પતરૂ મારી દેતા ગંભીર રીતે ઘાયલ થયો હતો.જોકે ટૂંકી સારવાર દરમિયાન અજ્જુ કાણીયાનું મોત નિપજ્યું છે. જોકે અજ્જુના મોત સાથે અંધેરી આલમના એક યુગનો પણ અંત થયો છે. અજ્જુ કાણીયો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અને, 4 વખત પાસા તથા બે વાર તડીપાર થયેલો છે. અજ્જુ કાણીયો એક એવો આરોપી હતો જેના સામે વડોદરાના તમામ પોલીસ મથકોમાં કેસ નોંધાયેલો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા અજ્જુ કાણીયા સામે કુલ 41 ગુના નોંધાયેલા છે.
અજ્જુ કાણીયાના મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં સમર્થકો સયાજી હોસ્પિટલ અને જેલ પર ઉમટ્યા હતા.જોકે ઘટનાની ગંભીરતા જોતા શહેર પોલીસે ચાર દરવાજા વિસ્તારમાં બંદોબસ્ત વધારી દીધો છે. તો જેલ ખાતે પણ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. મહત્વપૂર્ણ છે કે મુકેશ હરજાણીની હત્યા બાદ ગેંગસ્ટરની હત્યાની આ બીજી મોટી ઘટના છે. ત્યારે આ ઘટનાના શહેરમાં પડઘા ન પડે તે માટે પોલીસે મહેનત શરૂ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો