ભરૂચમાં ગણપતિ મૂર્તિ લઈ જવા દરમિયાન વીજ કરંટ લાગવાથી 2 ના મોતની શાહી સુકાઈ નથી ત્યાં આવો જ એક બનાવ વડોદરાના પાદરામાં બન્યો છે. જેમાં એક યુવકનું મોત થયું છે. પાદરામાં ગોવિંદપુરા યુવક મંડળના બે યુવાનોને કરંટ લાગતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે બીજા યુવાનની હાલમાં સારવાર ચાલી રહી છે. ગણપતિ ધ્વજની દંડી વીજ વાયરને અડી જતા આ દુર્ઘટના બની હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા રહો સાવધાન! બહાર રમતા બાળકનું રાખજો ધ્યાન, જુઓ VIDEO
[yop_poll id=”1″]