51 વર્ષ પહેલા પોલીસે કર્યું હતું ફેક એન્કાઉન્ટર, હવે સરકાર આપશે 50 લાખનું વળતર

|

Feb 25, 2021 | 10:11 AM

કેરળના વાઘનાડ ક્ષેત્રમાં આદિવાસીઓના શોષણ વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહનું નેતૃત્વ કરનાર વર્ગીઝનું એનકાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. 18 ફેબ્રુઆરી 1970 ના ફેક એન્કાઉન્ટરમાં તેઓ માર્યા ગયા હતા. આ દેશમાં પ્રથમ નકલી એન્કાઉન્ટરમાંથી એક હતું.

51 વર્ષ પહેલા પોલીસે કર્યું હતું ફેક એન્કાઉન્ટર, હવે સરકાર આપશે 50 લાખનું વળતર
50 વર્ષ બાદ મળશે 50 લાખ વળતર

Follow us on

નકલી એન્કાઉન્ટરમાં કેરળ પોલીસે એક નક્સલવાદી નેતાની હત્યા કર્યાના પચાસ વર્ષ પછી સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે તેના પરિવારના સભ્યોને વળતર આપવાનું નક્કી કર્યું છે. સીપીઆઈ (એમ) ની આગેવાની લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF)સરકારે બુધવારે ફેક એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વર્ગીસના ચાર ભાઈ-બહેનોને 50 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.

1970માં થયું હતું ફેક એન્કાઉન્ટર

વર્ગીઝ વાઘનાડ ક્ષેત્રમાં આદિવાસીઓના શોષણ વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહનું નેતૃત્વ કરતા હતા. જેનું 18 ફેબ્રુઆરી 1970 ના રોજ ફેક પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. આ એનકાઉન્ટર દેશમાં પ્રથમ નકલી એન્કાઉન્ટરમાંનું એક ગણવામાં આવે છે. ગયા મહિને તેના બે ભાઈઓ અને બે બહેનોએ કેરળ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટ પાસે વળતરની માંગ કરી હતી. તેમની અરજીમાં તેમણે કહ્યું હતું કે “વર્ગીઝની હત્યાને લીધે, તેમને વ્યાજની સાથે વળતર તરીકે 50 લાખ રૂપિયા કાયદેસર રીતે મળવા જોઈએ.”

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

કેબિનેટ દ્વારા તેમને 50 લાખનું વળતર

અરજીની સુનાવણીમાં સરકારે કોર્ટને જણાવ્યું હતું કે જો અરજદારો બે અઠવાડિયામાં રજૂઆત કરવાનું પસંદ કરે છે, તો ઉત્તરદાતાઓ – રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય ડીજીપી – રજૂઆતને સકારાત્મકરૂપે ધ્યાનમાં લેશે અને તેના પર યોગ્ય આદેશો પસાર કરશે. ત્યારબાદ, કોર્ટે વર્ગીઝના ભાઈ-બહેનને સરકાર પાસે જવાની મંજૂરી આપી હતી. આ કાર્યવાહીના પગલા બાદ કેબિનેટ દ્વારા તેમને 50 લાખનું વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોન્સ્ટેબલ નાયરે ફેક એનકાઉન્ટર કબૂલ્યું હતું

31 વર્ષીય વર્ગીઝની હત્યા બાદ પોલીસની ઘટનાઓના સંસ્કરણ વ્યાપકપણે સ્વીકારાયું હતું. જો કે 1998 માં નિવૃત્ત કોન્સ્ટેબલ રામચંદ્રન નાયરે કબૂલ્યું હતું કે આ એન્કાઉન્ટર ફેક હતું. ત્યારબાદ બહાર આવ્યું હતું કે વર્ગીઝને તેની પીઠ પાછળ હાથ બાંધીને વાયનાડના થિરુનેલી જંગલ નજીક લઇ જવામાં આવ્યા હતા. અને કુમ્બરકુન્ની લઈ જઈ તેની હત્યા કરવામાં આવી હતી.

ત્યારબાદ નાયરને પ્રથમ આરોપી બનાવીને કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ વિશેષ અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યાના ચાર વર્ષ બાદ 2006 માં નાયરનું અવસાન થયું. 2010 માં સીબીઆઈ કોર્ટે નિવૃત્ત આઈપીએસ અધિકારી કે લક્ષ્મણને જેલમાં પુરવામાં આવ્યા હતા. જેના કહેવા પર નાયરે વર્ગીઝને પોલીસ કસ્ટડીમાં ગોળી મારી હતી. હત્યા સમયે લક્ષ્મણ વાયનાડમાં ડેપ્યુટી એસપી હતા.

Next Article