Surendranagar : લીંબડી શહેરમાં દિન દહાડે યુવકની હત્યા, પ્રેમ સબંધની શંકાએ યુવાનનો લીધો ભોગ 

|

May 03, 2021 | 7:27 PM

દિનદહાડે યુવકની હત્યાના બનાવથી લોકોના ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતા. નાસી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Surendranagar : લીંબડી શહેરમાં દિન દહાડે યુવકની હત્યા, પ્રેમ સબંધની શંકાએ યુવાનનો લીધો ભોગ 
મૃતકનો ફાઇલ ફોટો

Follow us on

Surendranagar  જિલ્લામાં જાણે ગુન્હેગારોને પોલીસ કે કાયદાનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે લીંબડી શહેરમાં દિન દહાડે યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ, હત્યા, ફાયરીંગ, ખંડણી, મારામારી સહિતના બનાવો વધી રહ્યા છે. ત્યારે લીંબડી તાલુકાના રળોલ ગામે રહેતો યુવક સરફરાઝ અબ્બાસભાઇ વડદરિયા ઉ.વર્ષ 21 બાઈક લઈને ભલગામડા ગેટ પાસેથી પસાર થઇ રહયો હતો. તે દરમિયાન અન્ય બાઈક પર અંદાજે ૩ અજાણ્યા શખ્સોએ આવી યુવક સરફરાજનું બાઈક ઉભુ રખાવી કોઈ કારણોસર બોલાચાલી કરી હતી અને મામલો‌ ઉગ્ર બનતા અજાણ્યા શખ્સોએ સરફરાઝ પર છરી વડે હાથે પગે તેમજ માથાના ભાગે ધા ઝીંકી જીવલેણ હુમલો કરી નાસી છૂટયા હતા.

જયારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું. દિનદહાડે યુવકની હત્યાના બનાવથી લોકોના ટોળેટોળા ધટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અને આ મામલે પોલીસને જાણ કરતા એલસીબી પોલીસ, લીંબડી ડીવાયએસપી, પી.આઈ., પીએસઆઇ સહિતનો કાફલો આવી પહોંચ્યો હતો. નાસી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દિનદહાડે યુવકની હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. યુવકની શા માટે હત્યા નિપજાવવામા આવી ? હત્યામાં ફુલ કેટલા શખ્સો સામેલ છે ? તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ સુધી પોહોચવા તપાસ હાથ ધરતા મરણ જનાર સરફરાજ વડદરીયાને રળોલ ગામના જ ધર્મેશ ઉર્ફે કાળુ રાવલ અને હરદેવ ઉર્ફે સાહીલ રાવલની સાથે બોલાચાલી થયેલ હતી. તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ બન્ને આરોપીની બહેન સાથે સરફરાજને પ્રેમ સંબંધ છે, તેવો વેહેમ રાખી માથાકૂટ થઈ હતી.

જેનુ મનદુખ રાખીને આરોપી (1) ધર્મેશ ઉર્ફે કાળુ રાવલ (2) હરદેવ ઉર્ફે સાહીલ અને એક સગીર ત્રણેયનાઓએ સરફરાજ લીંબડી ગયો હતો જેનું ધ્યાન રાખીને જ બેઠા હતા. ભલગામડા ગેઇટ પાસે ઉભો રાખીને છરીઓના ઊપરા છાપરી ઘા મારી નાશી છુટયા હતા. જેથી પોલીસે હાલ એક સગીરની અટક કરેલ છે ને આરોપીઓ હરદેવ રાવલ અને ધર્મેશ રાવલની શોધખોળ હાથ ધરી છે. એક યુવકને આડા સંબંધના વહેમમાં હાલ તો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પરંતુ હવે આરોપીઓ ક્યારે ઝડપાય છે ને આરોપીઓ પાસેથી પોલીસ શું સત્ય હકીકત કઢાવી શકે છે તે જોવુ રહ્યુ.

Next Article