સુરતના વરાછામાં યુવક હત્યા કેસનો ઉકેલાયો ભેદ, ચાર આરોપીની થઇ ધરપકડ

|

Nov 02, 2020 | 6:45 PM

સુરતના વરાછા ભવાની સર્કલ પાસે એક યુવકની હત્યા કરી ભાગી છૂટેલા ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, વ્યાજે આપેલા રૂપિયા પરત ન આપતા યુવકની હત્યા કરી નાખી હતી. અમરોલી સરિતા એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ઉર્ફે લાલો પટેલ, અશ્વની કુમાર સ્મશાન ગૃહમાં નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા અજાણ્યા ઈસમો સ્મશાન […]

સુરતના વરાછામાં યુવક હત્યા કેસનો ઉકેલાયો ભેદ, ચાર આરોપીની થઇ ધરપકડ

Follow us on

સુરતના વરાછા ભવાની સર્કલ પાસે એક યુવકની હત્યા કરી ભાગી છૂટેલા ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, વ્યાજે આપેલા રૂપિયા પરત ન આપતા યુવકની હત્યા કરી નાખી હતી. અમરોલી સરિતા એપાર્ટમેન્ટમાં રહેતા વિજય ઉર્ફે લાલો પટેલ, અશ્વની કુમાર સ્મશાન ગૃહમાં નોકરી કરતો હતો. થોડા દિવસ પહેલા અજાણ્યા ઈસમો સ્મશાન ગૃહ ખાતે વિજયને ઇજાગ્રસ્ત હાલતમાં મૂકી ગયા હતા. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે બાદ પોલીસે તપાસ તેજ કરી, અને જાણવા મળ્યું હતું કે, ફાયનાન્સર ધનરાજ વેનીલાલ કહાર અને તેના માણસોએ વિજયની હત્યા કરી હતી. ધનરાજે એપ્રિલ મહિનામાં વિજયને 20 હજાર રૂપિયા વ્યાજે આપ્યા હતા. તે રૂપિયા વિજય પરત આપતો ન હતો. જેથી ધનરાજ અને તેના સાગરીતોએ વિજયને ઢોર માર માર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી ધનરાજ કહાર સહિત ચારની ધરપકડ કરી લીધી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article