Ahmedabad : સરદારનગરમાં પથ્થરમારાની ઘટના મામલે તપાસ તેજ, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

|

Dec 06, 2022 | 3:32 PM

પથ્થરમારાની ઘટનાના જે દ્રશ્યો કેદ થયા છે, તેમાં જોવા મળી રહ્યું છે તેમ માથાભારે શખ્સોના પરિવાર દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. પરિવારની મહિલાઓ પણ પથ્થરમારો કરતી જોવા મળી રહી છે.

Ahmedabad : સરદારનગરમાં પથ્થરમારાની ઘટના મામલે તપાસ તેજ, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ
stone pelting in sardarnagar

Follow us on

Ahmedabad Police : અમદાવાદના સરદારનગરમાં પથ્થરમારાની ઘટના બની હતી. આ પથ્થરમારાની સમગ્ર ઘટનાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા હતા. ત્યારે પથ્થમારાને લઈ સરદારનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. તેમજ મહિલાઓ સહિત 19 આરોપીઓ વિરુદ્ધ સરદાનગર પોલીસે રાયોટિંગની ફરિયાદ નોંધી છે. અગાઉ થયેલી હત્યાની અદાવતમાં પથ્થરમારો થયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સમગ્ર ઘટનાના દ્રશ્યો કેમરામાં થયા કેદ

મોબાઈલમાં પથ્થરમારાની ઘટનાના જે દ્રશ્યો કેદ થયા છે, તેમાં જોવા મળી રહ્યું છે તેમ માથાભારે શખ્સોના પરિવાર દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. પરિવારની મહિલાઓ પણ પથ્થરમારો કરતી જોવા મળી રહી છે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

બીજી તરફ અમદાવાદમાં ગઇકાલે જુહાપુરામાં ફરી એક વખત ગેંગવોર જોવા મળી. જુહાપુરામાં મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો હતો. કુખ્યાત નઝીર વોરા અને તેના પુત્ર પર ફાયરિંગ થવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર અંગત અદાવતમાં નવાબ નામના વ્યક્તિ દ્વારા નઝીર વોરા પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જે મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ હતી.

Next Article