જમીન વેચાણ મુદ્દે-વ્યાજખોરના ત્રાસથી સુરતમાં વધુ એક વ્યક્તિએ કરી આત્મહત્યા

|

Sep 18, 2020 | 12:56 PM

સુરતમાં વધુ એક જમીન માલિકે, વ્યાજખોર અને બિલ્ડરના ત્રાસથી આત્મહત્યા કરી. રાદેરના દાંડીરોડ પર આવેલ સુંદરવન સોસાયટીમાં રહેતા કિરીટ પટેલે ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી. આત્મહત્યા પૂર્વે કિરીટ પટેલે લખેલ સ્યુસાઈડ નોટમાં, બિલ્ડરે વેચલી જમીનના રૂપિયા નહી આપતા અને વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનું લખ્યુ છે. સુરતના ચર્ચાસ્પદ દુર્લભ પટેલ આત્મહત્યા કેસ બાદ, વધુ એક […]

જમીન વેચાણ મુદ્દે-વ્યાજખોરના ત્રાસથી સુરતમાં વધુ એક વ્યક્તિએ કરી આત્મહત્યા

Follow us on

સુરતમાં વધુ એક જમીન માલિકે, વ્યાજખોર અને બિલ્ડરના ત્રાસથી આત્મહત્યા કરી. રાદેરના દાંડીરોડ પર આવેલ સુંદરવન સોસાયટીમાં રહેતા કિરીટ પટેલે ગળાફાસો ખાઈને આત્મહત્યા કરી. આત્મહત્યા પૂર્વે કિરીટ પટેલે લખેલ સ્યુસાઈડ નોટમાં, બિલ્ડરે વેચલી જમીનના રૂપિયા નહી આપતા અને વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનું લખ્યુ છે.

સુરતના ચર્ચાસ્પદ દુર્લભ પટેલ આત્મહત્યા કેસ બાદ, વધુ એક જમીન માલિકે બિલ્ડરના ત્રાસને કારણે, આત્મકહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આત્મહત્યા કરનારા કિરીટ પટેલે, સ્યુસાઈડ નોટમાં લખી જણાવ્યુ છે કે, 2 વર્ષ પૂર્વે જેમને જમીન વેચી છે કે મગન દેસાઈ વેચેલી જમીનના નાણા આપતો નથી. બીજી બાજુ મારૂ દેવુ વધી ગયું છે. જેથી હું આત્મહત્યા કરુ છું, મારી પાસે વ્યાજવાળા દબાણ કરે છે. આવી મંદીમાં હું ક્યાંથી પૈસા લાઉં મારે મગન દેસાઇ પાસે પૈસા લેવાના છે. તેનો કેસ ચાલી રહ્યો છે. ગુરુકૂળ ચોકી પર પણ મે બધી સાચી હકીકત લખાવી છે. વ્યાજવાળા મારૂ ઘર પણ લઇ લેવા માંગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડીંગ છે તે તમે સાંભળજો. વ્યાજવાળાના નામ પણ આવી જશે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 


વર્ષ 2018માં મોટી વેડ ગામની અંદાજે 2 કરોડની જમીન મૃતક ‌કિરીટ પટેલે, ‌બિલ્ડર મગન દેસાઇને વેચી હતી. આ જમીનની રકમ ‌કિરીટ ડી.પટેલે લેવાની બાકી ‌નિકળતી હતી. કિરીટ પટેલને જમીનના રૂપીયા ચુકવવા વાયદા કરવામાં આવી રહ્યા હતા. પણ રૂપિયા આપવામાં આવતા નહોતા. બીજી તરફ ‌કિરીટ પટેલને બે સંતાન સ‌હિતના પ‌રિવારનું ભરણપોષણ કરવાનું હોય તેમને માથે પણ દેવું થઇ ગયું હતું જેથી વ્યાજવાળા તેમની પાસે ઉઘરાણી કરી રહ્યા હોય જમીનના રૂપીયા છુટા નહીં થતા ‌કિરીટ ડી.પટેલે આ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસે સુસાઈ ડ નોટ સહિત મૃતકનો ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article