સુરેન્દ્રનગરમાં ત્રણ કિશોરીઓના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. વઢવાણથી શાળાએ જતી ત્રણ કિશોરીઓને રીક્ષાચાલક શાળાએ મુકવાને બદલે અજ્ઞાત સ્થળે લઈ ગયો હતો. કિશોરીઓ ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. તે દરમિયાન કિશોરીઓ ડેમ પાસે મળી આવી. લોકોને આવતા જોઈ 4 અજાણ્યા શખ્સો બાઈક અને રીક્ષા મુકી નાસી છુટ્યા. જોરાવરનગર પોલીસે બાઈક અને રીક્ષા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO