Red Fort Violence : પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લાની હિંસા કેસમાં મોસ્ટ વોન્ટેડ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ 30 વર્ષીય મનિન્દરસિંહ ઉર્ફે મોની તરીકે કરવામાં આવી છે, જે વ્યવસાયે કાર મિકેનિક છે. શિવકુમારના નેતૃત્વ હેઠળ કાર્યરત ઇન્સ્પેક્ટર પવન કુમાર અને ઇન્સ્પેક્ટર કરામબીરની ટીમે 16 ફેબ્રુઆરીએ મનિન્દરને સીડી બ્લોક પિતમપુરા નજીક બસસ્ટેન્ડ પરથી ધરપકડ કરી હતી.
સ્વરૂપ નગરમાં તેના ઘરમાંથી 4.3 ફુટની બે તલવારો પણ મળી આવી છે. જે લાલ કિલ્લા પર ફેરવતો નજરે પડ્યો હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં ધરપકડ કરાયેલ વ્યક્તિ હવામાં બંને તલવારો ફેરવતો જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મનિન્દરસિંહ હવામાં તલવારો ફેરવી રહ્યા હતા અને લોકોને પોલીસકર્મીઓ પર હુમલો કરવા પ્રેરણા આપી રહ્યા હતા. તેણે અનેક ઉશ્કેરણીજનક પોસ્ટ પણ મૂકી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સિંઘુ બોર્ડર પર જતો હતો અને ત્યાં આપવામાં આવતા ભાષણોથી પણ ખૂબ પ્રેરણારૂપ હતો.
મનિન્દરસિંહે એવું પણ ખુલાસો કર્યો છે કે તેમણે પોતાના ઘર સ્વરૂપ નગરના 6 લોકોને ટ્રેક્ટર રેલીમાં ભાગ લેવા પ્રેરણા આપી હતી. આ 6 લોકો બાઇક પર સવાર હતા અને સિંઘુ બોર્ડરથી મકબરા ચોક તરફ ટ્રેક્ટર રેલીમાં સમિલ થવા ખાસ નિકળ્યા હતા.