લાલ કિલ્લા ઉપર હવામા તલવાર વિંઝી, પોલીસ પર હુમલો કરવા પ્રેરનાર મનિન્દરસિંહ મોનીની ધરપકડ

|

Feb 17, 2021 | 11:07 AM

Red Fort Violence : સ્વરૂપ નગરમાં તેના ઘરમાંથી 4.3 ફુટની બે તલવારો પણ મળી આવી છે જે લાલ કિલ્લા પર લહેરાતા નજરે પડ્યો હતો.

લાલ કિલ્લા ઉપર હવામા તલવાર વિંઝી, પોલીસ પર હુમલો કરવા પ્રેરનાર મનિન્દરસિંહ મોનીની ધરપકડ
મનિન્દરસિંહ મોનીની ધરપકડ

Follow us on

Red Fort Violence :  પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લાની હિંસા કેસમાં મોસ્ટ વોન્ટેડ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ 30 વર્ષીય મનિન્દરસિંહ ઉર્ફે મોની તરીકે કરવામાં આવી છે, જે વ્યવસાયે કાર મિકેનિક છે. શિવકુમારના નેતૃત્વ હેઠળ કાર્યરત ઇન્સ્પેક્ટર પવન કુમાર અને ઇન્સ્પેક્ટર કરામબીરની ટીમે 16 ફેબ્રુઆરીએ મનિન્દરને સીડી બ્લોક પિતમપુરા નજીક બસસ્ટેન્ડ પરથી ધરપકડ કરી હતી.

સ્વરૂપ નગરમાં તેના ઘરમાંથી 4.3 ફુટની બે તલવારો પણ મળી આવી છે. જે લાલ કિલ્લા પર ફેરવતો નજરે પડ્યો હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં ધરપકડ કરાયેલ વ્યક્તિ હવામાં બંને તલવારો ફેરવતો જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મનિન્દરસિંહ હવામાં તલવારો ફેરવી રહ્યા હતા અને લોકોને પોલીસકર્મીઓ પર હુમલો કરવા પ્રેરણા આપી રહ્યા હતા. તેણે અનેક ઉશ્કેરણીજનક પોસ્ટ પણ મૂકી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સિંઘુ બોર્ડર પર જતો હતો અને ત્યાં આપવામાં આવતા ભાષણોથી પણ ખૂબ પ્રેરણારૂપ હતો.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

મનિન્દરસિંહે એવું પણ ખુલાસો કર્યો છે કે તેમણે પોતાના ઘર સ્વરૂપ નગરના 6 લોકોને ટ્રેક્ટર રેલીમાં ભાગ લેવા પ્રેરણા આપી હતી. આ 6 લોકો બાઇક પર સવાર હતા અને સિંઘુ બોર્ડરથી મકબરા ચોક તરફ ટ્રેક્ટર રેલીમાં સમિલ થવા ખાસ નિકળ્યા હતા.

Next Article