સુરત જિલ્લાના માંડવી તાલુકાના રોસવાડ ગામે સતીશ વસાવા નામના ઈસમે પોતાના પિતરાઈભાઈ મંગલ વસાવાની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી છે. છેલ્લા કેટલાક સમયથી બંને ભાઈઓ વચ્ચે પારિવારિક જમીનને લઈ ઝગડો ચાલી રહ્યો હતો. ત્યારે મંગલ વસાવા જયારે પોતાના મિત્રો સાથે ઘર બહાર ઓટલા પર બેઠો હતો, ત્યારે મંગલ વસાવા આવ્યો હતો અને ભાઈ સતીશને ખેતરે લાકડા લેવા જવાનુ કહ્યું હતું.
જો કે મંગલ વસાવાએ ના પાડતા ક્ષણિક આવેશમાં ભાઈ સતીશે કોઈ કઈ સમજે એ પહેલા ઘરમાંથી કુહાડી લાવી મંગલ વસાવાને માથા ના ભાગે ઘા મારી દીધો હતો અને જેથી મંગલ વસાવા બેઠા બેઠા ઢાળી પડ્યો હતો, ત્યારબાદ સતીશ વસાવાએ ઉપરાછાપરી મોઢા પર અને ગળાના ભાગે કુહાડી ના ઘા ઝીંકી દીધા હતા અને ફરાર થઇ ગયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે મંગલ વસાવાની પત્ની અને દોડી આવેલા મિત્રો મંગલ વસાવાને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલા મંગળ વસાવાનું મોત થઈ ચુક્યું હતું, જો કે ઘટના બાદ સતીશ વસાવા ફરાર થઈ ગયો હતો. પરંતુ માંડવી પોલીસે સતીશ વસાવાને નજીકના ખેતર પાસેથી ઝડપી પડ્યો હતો અને તેની વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:21 am, Wed, 30 October 19