Ahmedabad સહિત 6 શહેરોમાં Lockdown? ફેક લેટર ફેલાવનાર આરોપીની ધરપકડ

|

Apr 13, 2021 | 6:01 PM

અમદાવાદ સહિત છ શહેરોમાં લોકડાઉન લાગુ પડશે, તેઓ ગુજરાત સરકારના નામનો ફેક લેટર વહેતો કરવામાં આવેલો હતો. ખોટો મેસેજ મુકનાર અમદાવાદનો અમૃત સલાટ નામના યુવકને સાયબર ક્રાઈમ બ્રાંચે પકડી પાડયો છે.

Ahmedabad સહિત 6 શહેરોમાં Lockdown? ફેક લેટર ફેલાવનાર આરોપીની ધરપકડ
ફેક લેટર ફેલાવનાર આરોપીની ધરપકડ

Follow us on

અમદાવાદ સહિત છ શહેરોમાં લોકડાઉન લાગુ પડશે, તેઓ ગુજરાત સરકારના નામનો ફેક લેટર વહેતો કરવામાં આવેલો હતો. ખોટો મેસેજ મુકનાર અમદાવાદનો અમૃત સલાટ નામના યુવકને સાયબર ક્રાઈમ બ્રાંચે પકડી પાડયો છે. શહેરોમાં લોકડાઉનની અફવા ફેલાવનાર આરોપી અમૃત સિલાઈ કામ કરે છે અને પોતે ફેક લેટર એડિટિંગ કરી અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં કોપી કરી અને ફેસબુક પર મુક્યો હોવાનું સામે આવ્યું છે.

 

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સાયબર ક્રાઈમ ગિરફતમાં રહેલ અમૃત સલાટે પોતાના ફેસબુક પેજ પર ગુજરાત સરકાર ફેક લેટર મુક્યો હતો. જેમાં આરોપી અમૃત સલાટ પોતાના ફેસબુક આઈડી ઉપર પોસ્ટમાં કોવિડ 19ના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું પણ આ આ બાબતે કોઈ નક્કર પરિણામની આશા ન હોવાથી ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના છ શહેરોમાં તારીખ 11 એપ્રિલથી તારીખ 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આપાતકાલીન સેવાઓ શરૂ રહેશે અને લોકડાઉનના નિયમનું પાલન થાય તેવી જવાબદારી જે તે શહેરના એસપી ડીવાયએસપી રહેશે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતના આવા લખાણવાળા ખોટા મેસેજની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી હતી.

 

 

સાઈબર ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં પકડાયેલ અમૃત કુબેર નગરના સંતોષીનગરમાં રહે છે અને સિલાઈનું કામ કરે છે અમૃત સલાટ ફેસબુક ઉપર લોકડાઉન ફેક લેટર સાથેની પોસ્ટ મૂકી હોવાનું સામે આવ્યું હતું. આ રીતની પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી લોકોમાં ભયનો માહોલ સર્જાવા અંગે સાયબર ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે, જેને આ ફેક લેટર પોતે એડિટ કર્યો હોવાનું કબૂલાત કરી છે.

 

લોકડાઉન ફેક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજ્યના ડીજીપીએ સાયબર ક્રાઈમ બ્રાંચ તપાસ સોંપવામાં આવી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ બ્રાંચના સુપરવિઝન હેઠળ અમદાવાદ, સુરત,પંચમહાલ અને વડોદરા રેન્જમાં ગુનો દાખલ કરી ખોટો મેસેજ વાયરલ કરનાર શખ્સોની ધરપકડ કરી મુખ્ય ફેક લેટર બનાવનાર તપાસ શરૂ કરી છે.

 

લોકડાઉન બાબતે મુખ્યપ્રધાને અગાઉ કઈ હતી સ્પષ્ટતા

મુખ્યમંત્રી CM Rupaniએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી રાજ્યના નાગરિકોને સંબોધન કરતા સાફ શબ્દોમાં કહ્યું હતું કે લોકોએ અફવાઓથી ગભરાવાની કોઈ જરૂર નથી. મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એવો વિશ્વાસ આપ્યો કે રાજ્યમાં ફરીથી લોકડાઉન આવવાનું નથી કે કોરોનાને કારણે સરકાર કોઈ ધંધા રોજગાર પણ બંધ કરવાના નથી.

 

રાજ્યના નાગરિકોને એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસના મુદ્દે સરકાર ખૂબ જ ગંભીરતાથી પ્રયાસો કરી રહી છે. એટલું જ નહીં કેસ કઈ રીતે ઘટાડવા અને નવા આવેલા કેસોની સતત ટ્રીટમેન્ટ થાય લોકો સાજા થઈને જલ્દી પાછા જાય તે માટે પણ યોગ્ય કાર્યવાહી આ સરકાર કરી રહી છે.

 

આ પણ વાંચો: RAJKOTમાં ઓક્સિજન સિલિન્ડર ખૂટી પડ્યા, ઓક્સિજન રિફીલ લેવા લોકોની લાંબી કતારો

Next Article