Lakhimpur Kheri Violence: લખીમપુર ખેરી હિંસાના આરોપી અજય મિશ્રા (Ajay Mishra) ના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) આજે (શનિવાર 9 ઓક્ટોબરના) સવારે ક્રાઈમ બ્રાન્ચ (UP Police) સમક્ષ હાજર થયો. મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા લખીમપુર ખેરીમાં તેમના ઘરે પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ શુક્રવારે તેમના પુત્ર આશિષનો બચાવ કર્યો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આશિષ (ashish mishra)ની ચાર મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના સમયે બંબીરપુર ગામમાં કુસ્તીના કાર્યક્રમમાં હોવાના તેમના દાવાના સમર્થનમાં તેમને ફોટા, વીડિયો આપવાનું કહેવામાં આવશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, તેમણે જવાબ આપવો પડશે કે, તેમનું વાહન સ્થળ પર કેમ હતું. મંત્રી અજય મિશ્રાએ આ પ્રકરણમાં તેમના પુત્રની સંડોવણીના આરોપોને નકાર્યા હતા. મંત્રીએ કહ્યું હતું કે, કાર્યક્રમમાં પોલીસ અને વહીવટ સહિત હજારો લોકો હાજર હતા. મારો પુત્ર સવારે 11 વાગ્યાથી ત્યાં હતો અને કાર્યક્રમના અંત સુધી ત્યાં જ રહ્યો. તેથી મારો પુત્ર ઘટના પર હાજર રહે તેવી કોઈ શક્યતા નથી.
આ ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા
માહિતી અનુસાર, બહરાઈચ જિલ્લાના જગજીત સિંહની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે, હિંસા પૂર્વ આયોજિત હતી. આ માટે મંત્રી અને તેમના પુત્રએ કાવતરું ઘડ્યું. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા. જેના કારણે હિંસા થઈ અને 8 લોકોના મોત થયા. એફઆઈઆર (FIR)માં એવું પણ લખવામાં આવ્યું છે કે, તે દિવસે ખેડૂત મહારાજ અગ્રસેન ઈન્ટર કોલેજના મેદાનમાં ભેગા થયા હતા અને બાનબીર જતા ડેપ્યુટી સીએમ (Deputy CM) કેશવ પ્રસાદ મૌર્ય સામે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: IPL 2021 : આઈપીએલમાં દિગ્ગજ બેટ્સમેનો છે ‘સિક્સર કિંગ’, જુઓ સંપૂર્ણ યાદી
Published On - 10:41 am, Sat, 9 October 21