જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે. હત્યાના મુખ્ય આરોપી મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉને રેલ્વે SITની ટીમે ઝડપી પાડ્યા છે. અલ્હાબાદના દરાગંજના આશ્રમમાં બન્ને આરોપી છુપાયા હતા.
જ્યાં બન્નેએ આશ્રમમાં અલગ-અલગ જગ્યાએ રોકાણ કર્યુ હતું. ત્યારે મનિષા દવાખાને જવા બહાર નીકળતા બંન્ને ઝડપાઈ ગયા છે. રેલ્વે પોલીસની SITએ મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં આરોપી ઝડપાઈ ગયા છે. મહત્વનું છે કે જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો