Jammu-Kashmir :કાશ્મીરમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્યુ કર્યું છે. હવે આતંકીઓ પોલીસકર્મીઓ અને તેમના પરિવારોને નિશાન બનાવી રહ્યાં છે. મંગળવારે કાશ્મીરના અનંતનાગના વેરીનાગ વિસ્તારમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ રીતે પોલીસ કર્મચારીના પરિવાર પર હુમલો (Terror attack in Jammu Kashmir) કર્યો.આ હુમલામાં પોલીસકર્મીની પુત્રી અને તેની પત્ની ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, હુમલાની જાણકારી મળતાની સાથે જ સુરક્ષા દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આતંકીઓની શોધમાં સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
કોન્સ્ટેબલ સજ્જાદ અહેમદ મલિકના પત્ની-પુત્રી પર હુમલો
મંગળવારે રાત્રે જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ સજ્જાદ અહેમદ મલિકના કોકાગુંડમાં આવેલા ઘરે આતંકવાદીઓએ હુમલો (Terror attack in Jammu Kashmir) કર્યો હતો. આ હુમલામાં આતંકવાદીઓને સજ્જાદ ન મળ્યો ત્યારે તેઓએ તેમની પત્ની નાહિદા અને પુત્રી મેદૈયા પર હુમલો કર્યો. બંને પર ગોળીબાર કર્યા બાદ આતંકીઓ સ્થળ પરથી નાસી ગયા હતા. ગોળીબારની વાત સાંભળીને નજીકના લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેઓએ માતા અને પુત્રીને લોહીથી લથપથ હાલતમાં જોયા.
#UPDATE | One of the attackers on the wife & daughter of a police constable in Verinag, Anantnag has been identified as Mufti Altaf, a terrorist of Jaish-e-Mohammed, as per eyewitnesses: Jammu and Kashmir Police
— ANI (@ANI) July 20, 2021
એક આતંકીની ઓળખ થઇ
અનંતનાગના વેરિનાગમાં પોલીસ કોન્સ્ટેબલની પત્ની અને પુત્રી પર હુમલો કરનારાઓમાંથી એક આતંકીની ઓળખ થઇ છે. પ્રત્યક્ષદર્શીના નિવેદનના આધારે સુરક્ષાદળોએ આ આતંકીનો ઓળખ શોધી કરી છે. તે મુફ્તી અલ્તાફ નામનો જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed)નો આતંકવાદી છે.
Published On - 6:15 am, Wed, 21 July 21