આંધ્રપ્રદેશમાં મંદિરો પરના હુમલા અને મૂર્તિઓની તોડફોડની તપાસ માટે રાજ્ય સરકારે શુક્રવારે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે અને સમગ્ર રાજ્યમાં મંદિરો પર થયેલા હુમલાઓની તપાસના આદેશ આપ્યા છે.આંધ્રપ્રદેશમાં મંદિરો પર હુમલા અને દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડવાની 25 ઘટનાઓમાં સામે આવી છે.પોલીસે 20 ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી છે.
16 સભ્યોની SIT માં મોટા અધિકારીઓનો સમાવેશ
રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જી.વી.જી. અશોક કુમાર અને કૃષ્ણા જિલ્લાના એસપી એમ. રવિન્દ્રનાથ બાબુની અધ્યક્ષતામાં 16 સભ્યોની SIT ટીમમાં બે વધારાના એસપી મંદિરોમાં તોડફોડ અને મૂર્તિઓ ખંડિત કરવાના કેસોની તપાસ કરશે. આ SIT ટીમમાં બે ડીએસપી, બે એસીપી, ચાર સર્કલ ઇન્સ્પેકટર અને ચાર સબ ઇન્સ્પેકટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આંધ્રમાં મંદિર પર હુમલાની 20 ઘટનાઓ
રાજ્યના પશ્ચિમ ગોદાવરી, કૃષ્ણ, વિઝિયાનાગામ, પૂર્વ ગોદાવરી, પ્રકસમ અને અન્ય જિલ્લાઓમાં લગભગ 25 મંદિરો પર હુમલો થયાના કેસ નોંધાયા છે.પોલીસે આશરે 20 કેસોમાં આરોપીની ધરપકડ કરી હતી. બાકીના કેસોની તપાસ વિવિધ તબક્કાઓ છે. SIT આરોપીની મોડસ ઓપરેન્ડી, આરોપીના ગુનાહિત ઇતિહાસ,સ્થાનિક લોકો સાથેની કડી, ગુનાઓની રીત વગેરેની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને અન્ય વિગતો મેળવવા અંગે તપાસ કરશે.