આ 3 લોકોએ ભય્યૂજી મહારાજની ‘આપઘાત’ કુંડળી લખી, જાણો પોલીસના જણાવ્યા મુજબ શું છે ભય્યૂજી મહારાજની સુસાઇડ મિસ્ટ્રી ?

|

Jan 19, 2019 | 3:23 PM

મધ્ય પ્રદેશના બહુચર્ચિત ભય્યૂજી મહારાજ આપઘાત કેસમાં ઇંદોર પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ઇંદોર પોલીસે આ કેસમાં એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે કે જેમાંથી એક ભય્યૂજી મહારાજનો સૌથી નિકટનો સેવાદાર હતો. Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી […]

આ 3 લોકોએ ભય્યૂજી મહારાજની ‘આપઘાત’ કુંડળી લખી, જાણો પોલીસના જણાવ્યા મુજબ શું છે ભય્યૂજી મહારાજની સુસાઇડ મિસ્ટ્રી ?

Follow us on

મધ્ય પ્રદેશના બહુચર્ચિત ભય્યૂજી મહારાજ આપઘાત કેસમાં ઇંદોર પોલીસે મોટો ખુલાસો કર્યો છે.

ઇંદોર પોલીસે આ કેસમાં એક યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે કે જેમાંથી એક ભય્યૂજી મહારાજનો સૌથી નિકટનો સેવાદાર હતો.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

મધ્ય પ્રદેશના ડીઆઈજી (ઇંદોર) હરનાયારણચારી મિશ્રાએ જણાવ્યું કે ભય્યૂજી આપઘાત કેસમાં તેમના સૌથી નિકટસ્થ ખાસ સેવાદાર વિનાયક દુધાલે, એક અન્ય વ્યક્તિ શરદ દેશમુખ અને એક યુવતી પલકની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ આ ત્રણેય મળી ભય્યૂજી મહારાજને બ્લૅકમેલ કરી રહ્યા હતાં અને આ જ કારણથી ભય્યૂજી મહારાજ આર્થિક અને માનસિક રીતે ત્રાસી ગયા હતાં.

પોલીસ તપાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે પલક ભય્યૂજી મહારાજ સાથે લગ્ન કરવા માગતી હતી, તો વિનાયક દુધાલેની નજર ભય્યૂજી મહારાજની મિલકત પર હતી.

ભય્યૂજી મહારાજના પ્રથમ પત્ની માધવીના મોત બાદ કૅર ટેકર તરીકે પલકની એન્ટ્રી થઈ. વિનાયક અને શરદે પલકને ભય્યૂજી સાથે નિકટતા કેળવવાનું કહ્યું. ત્યાર બાદ ભય્યૂજી અને પલક વચ્ચે અશ્લીલ ચૅટ થયાં કે જે આરોપીઓએ સેવ કરી લીધા. વીડિયો અને ચૅટ વડે આ ત્રણેય લોકો વારંવાર ભય્યૂજી મહારાજ પાસેથી પૈસા વસૂલતા હતાં.

પોલીસે જણાવ્યું કે ભય્યૂજીએ આયુષી સાથે 17 એપ્રિલ, 2017ના રોજ બીજા લગ્ન કરતા પલકે શરદ અને વિનાયક સાથે પહોંચી હોબાળો ક્યો હતો. પલકે ભય્યૂજીને અલ્ટીમેટમ આપ્યુ હતું કે તેઓ 16 જૂને તેની સાથે લગ્ન કરે, પરંતુ આ તારીખ આવે, તો પહેલા જ ભય્યૂજીએ 12 જૂને આપઘાત કરી લીધો.

પોલીસે કહ્યું કે દાતી મહારાજ પર યુવતીના આરોપના સમાચારો બાદ ભય્યૂજી મહારાજ વિચલિત થઈ ગયાં. તેઓ પોતે પણ આવી જ રીતે ફસાઈ જશે, તેમ વિચારીને ગભરાઈ ગયાં. પલક, વિનાયક અને શરદ આવા અહેવાલો બાદ ભય્યૂજી પર હાવી થઈ ગયાં. પલક સતત લગ્ન માટે દબાણ કરી રહી હતી અને વિનાયક તથા શરદ રૂપિયા વસૂલવામાં લાગેલા હતાં.

[yop_poll id=689]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:17 pm, Sat, 19 January 19

Next Article