અમદાવાદ : મેઘાણીનગર લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો, દેવું વધી જતા મિત્ર સાથે મળી બનાવ્યો લૂંટનો પ્લાન

પોલીસની ગીરફ્તમાં આવેલા આરોપીઓના નામ છે લલીત નાગર અને અલ્પેશ રાઠોડ. આ બન્ને આરોપીઓએ ભેગા મળીને પોલીસને જ મૂંજવણમાં મુકી દીધા હતા.

અમદાવાદ : મેઘાણીનગર લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો, દેવું વધી જતા મિત્ર સાથે મળી બનાવ્યો લૂંટનો પ્લાન
Ahmedabad: Shocking revelation in Meghaninagar robbery case, robbery plan hatched with friend
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Mar 27, 2022 | 5:28 PM

અમદાવાદનાં (Ahmedabad) મેઘાણીનગરમાં (Meghaninagar)નોંધાયેલી લૂંટ (Robbery)મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મહત્વનું છે કે પેઢીમાં કામ કરતા કર્મચારી પાસેથી 9.85 લાખનાં દાગીના ભરેલી બેગ લૂંટી બે ઈસમો ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જોકે પોલીસની તપાસમાં લૂંટનું માત્ર તરકટ રચવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. આંગડિયા પેઢીનાં કર્મીને દેવુ થઈ જતા મિત્ર સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

પોલીસની ગીરફ્તમાં આવેલા આરોપીઓના નામ છે લલીત નાગર અને અલ્પેશ રાઠોડ. આ બન્ને આરોપીઓએ ભેગા મળીને પોલીસને જ મૂંજવણમાં મુકી દીધા હતા. 25મી માર્ચે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આંગડિયા પેઢીમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરતો લલીત નાગર પેઢીમાંથી સોનાના દાગીનાનાં પાર્સલો લઈને ગ્રાહકોને આપવા નીકળ્યો હતો, જેમાં સાંજનાં સમયે મેઘાણીનગર સૈજપુર ગરનાળા પાસે કિશોર સ્કુલ પહોંચતા બે ઈસમોએ લલીત રાઠોડની બાઈક રોકાવી 9.85 લાખની કિંમતનાં દાગીનાં ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ મેઘાણીનગરમાં નોંધાવી હતી. લૂંટની ફરિયાદ નોંધાતા જ મેઘાણીનગર પોલીસનો કાફલો દોડતો થયો હતો. અને આરોપીઓને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. જોકે ફરિયાદીએ આરોપીઓનો લૂંટ કરીને ભાગવાનો જે રૂટ બતાવ્યો તેમાં પોલીસને શંકા જતા ફરિયાદીની કડક પુછપરછ કરતા પોતે જ લૂંટનું તરક્ટ રચ્યું હોવાનું કબુલ્યુ હતું.

મેઘાણીનગર પોલીસે ફરિયાદીની ક્રોસ તપાસ કરતા તેણે પોતાના મિત્ર અલ્પેશ રાઠોડ સાથે મળીને આ લૂંટનો પ્લાન 15 દિવસ પહેલા બનાવ્યો હોવાનું ખુલ્યું હતું. ફરિયાદી અને આરોપી લલીત નાગર માણેકચોક ખાતે આવેલી ક્રીસ ગોલ્ડ નામની પેઢીમાં 5 વર્ષથી નોકરી કરે છે. જોકે તેને શેરબજારમાં દોઢ લાખ રૂપિયાનું દેવુ થઈ જતા આ જ આંગડિયા પેઢીમાં પહેલા નોકરી કરતા અલ્પેશ સાથે મળીને લૂંટની ખોટી ફરિયાદ કરી દાગીનાં બારોબાર વેંચીને શોર્ટકટમાં પૈસા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો. ફરિયાદીએ પોતે જ દાગીનાં ભરેલુ પાર્સલ અલ્પેશને નરોડા બોલાવી આપી દીધું હતુ અને બાદમાં પોતે સૈજપુર ગરનાળા પાસે જઈને પોલીસ ફરિયાદ કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હાલ તો આ ગુનામાં પોલીસે ફરિયાદી અને તેના મિત્રની ધરપકડ કરી છે. ત્યારે બન્ને આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ અને અન્ય બાબતોની તપાસ કરવા માટે પોલીસે રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી છે. આ ગુનામાં પોલીસે લૂંટનો તમામ મુદ્દામાલ અલ્પેશ રાઠોડ પાસેથી કબ્જે કરી અન્ય કોણ કોઇ વ્યક્તિ આ ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Vadodara: સયાજી હોસ્પિટલમાં શ્રમિક પરિવારની મહિલાના ઓછા વજનવાળા બાળકની 62 દિવસ સુધી સારવાર કરી નવું જીવન આપ્યું

આ પણ વાંચો : સોમવારથી ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 14.68 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">