AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand : રામ નવમીના દિવસે થયેલી જૂથ અથડામણના કેસમાં પોલીસ એક્શનમાં, 8 લોકોની ધરપકડ અને CCTVનાં આધારે તપાસ શરૂ

આણંદના ખંભાતમાં (Khambhat) શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો (Stone Pelting) થયો હતો. રામ નવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

Anand : રામ નવમીના દિવસે થયેલી જૂથ અથડામણના કેસમાં પોલીસ એક્શનમાં, 8 લોકોની ધરપકડ અને CCTVનાં આધારે તપાસ શરૂ
8 accused nabbed involved in communal clash that irrupted in khambhat
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 12:03 PM
Share

ગુજરાતમાં (Gujarat) રામ નવમીના (Ram navami) દિવસે રાજ્યમાં અશાંતિનો માહોલ જોવા મળ્યો છે. જેમાં આણંદ (Anand)જિલ્લાના ખંભાત શક્કરપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે અને બે અલગ અલગ ગુના દાખલ કર્યા છે. ઉશ્કેરણી કરવા બદલ પોલીસે કેટલાક અસામાજીક તત્વો સામે પણ કાર્યવાહી કરી છે. હજુ પણ અન્ય તોફાની તત્વોની શોધખોળ ચાલુ છે. CCTV સર્વેલન્સ ટીમ ખંભાતમાં તમામ સ્થળોના CCTVની તપાસ કરશે. હાલ ખંભાત શહેરમાં શાંતિભર્યો માહોલ છે. સમગ્ર શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. રેન્જ IG સહિત આણંદ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના ખંભાતમાં ધામા છે. પથ્થરમારા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેપીડ એક્શન ફોર્સ સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે.

આણંદના ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. રામ નવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં ખંભાતમાં રામનવમીની શોભાયાત્રાના ડીજે પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેની બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જો કે જુથ અથડામણમાં એક આધેડ વ્યક્તિનું મૃત્યુ થયું છે.

મહત્વનું છે કે રામ નવમીના દિવસે હિંમતનગરમાં પણ શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના 5 સેલ છોડ્યા હતા. એક બાઈક અને જીપને આગચંપીમાં નુકસાન પણ થયુ હતુ. હાલ હિંમતનગરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :  Panchmahal: ગોધરાના ઓરવાડા ગામે ત્રણ યુવકોને વીજ પોલ સાથે બાંધી માર મારવાનો વીડિયો વાયરલ, પાંચની ધરપકડ

આ પણ વાંચો :  સ્માર્ટ સીટી અમદાવાદની સ્કૂલોમાં દિવા તળે અંધારું, વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે અચાનક સ્કૂલની લીધી મુલાકાત અને ખોલી પોલ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">