Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant : દેશમાં વધી રહ્યો છે ઓમિક્રોનનો કહેર, કર્ણાટકમાં ડેલ્ટા વેરિઅન્ટ્સ બની રહ્યો છે ખતરનાક, જાણો શું છે સ્થિતિ

કર્ણાટકના આરોગ્ય પ્રધાન ડૉ. કે સુધાકરના જણાવ્યા અનુસાર, કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન વિનાશ વેરનાર જીવલેણ ડેલ્ટા સ્વરૂપ કર્ણાટકમાં કોવિડની ત્રીજી લહેર પર પણ પ્રભુત્વ ધરાવે છે.

Omicron Variant : દેશમાં વધી રહ્યો છે ઓમિક્રોનનો કહેર, કર્ણાટકમાં ડેલ્ટા વેરિઅન્ટ્સ બની રહ્યો છે ખતરનાક, જાણો શું છે સ્થિતિ
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 11:44 PM

દેશમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓમિક્રોન વેરિઅન્ટની સાથે દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) પણ આવી ગઈ છે અને તેની ટોચ પર પહોંચી ગઈ છે. દરરોજ કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં ઓમિક્રોનનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન (Community Transmission) પણ શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં સ્થિતિ એકદમ વિસ્ફોટક લાગે છે. દેશમાં દરરોજ કોરોનાના નવા કેસ બે લાખને પાર કરી રહ્યા છે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કર્ણાટકમાંથી ભયજનક માહિતી સામે આવી છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન ડૉ. કે સુધાકર (Health Minister Dr K Sudhakar) ના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના ચેપની બીજી લહેર દરમિયાન વિનાશ વેરનાર જીવલેણ ડેલ્ટા સ્વરૂપ કર્ણાટકમાં કોવિડની ત્રીજી લહેર પર પણ પ્રભુત્વ ધરાવે છે. મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે કર્ણાટકમાં ત્રીજી લહેરમાં કયા ફોર્મનું વર્ચસ્વ છે? 6,000 નમૂનાઓ કે જેના જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યા હતા તે દર્શાવે છે કે આ કેસોમાંથી ત્રણ ચતુર્થાંશ ડેલ્ટા અને તેના પેટા પ્રકારના છે, ત્યારબાદ ઓમિક્રોન સ્વરૂપ છે.

ડૉ. કે સુધાકર દ્વારા શેર કરાયેલ ડેટા દર્શાવે છે કે વર્તમાન ત્રીજી લહેર દરમિયાન જીનોમ સિક્વન્સિંગ માટે ઉપયોગમાં લેવાતા 6,000 નમૂનાઓમાંથી 73.89 ટકા ડેલ્ટા અને તેના સબલાઇનેજ વેરિઅન્ટના હતા, જ્યારે માત્ર 18.59 ટકા ઓમિક્રોનના હતા. આ સિવાય, 4.77 ટકા કેસો ETA, Kappa અને Pango છે જ્યારે 2.6 ટકા આલ્ફા/b.1.7 અને 0.13 ટકા બીટા/b.1.351 છે.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

આપને જણાવી દઈએ કે આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના 49,69,805 ડોઝ આપવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં આ રસીનો આંકડો 164.35 કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધીમાં અન્ય ગંભીર રોગોથી પીડાતા આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને એન્ટી-કોવિડ રસીના 1,03,04,847 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Surat: જુવેનાઇલ રિમાન્ડ હોમમાં કોરોનાની એન્ટ્રી, એક કિશોર અને ત્રણ કર્મચારીઓ સંક્રમિત

આ પણ વાંચો: ગુજરાતના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કર્ફયૂનો અમલ 4 ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે

g clip-path="url(#clip0_868_265)">