AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Omicron Death: ઓમિક્રોનની ઝપેટમાં આવ્યું ઇઝરાયલ, નવા વેરિઅન્ટથી 60 વર્ષીય વ્યક્તિએ દમ તોડયો

ઇઝરાયલ (Israel) 2021ની શરૂઆતમાં તેની વસ્તીને વ્યાપકપણે રસી આપનાર પ્રથમ દેશો પૈકી એક હતો. ઉનાળાની ઋતુમાં જ દેશમાં લોકોને બૂસ્ટર ડોઝ લગાવવાનું શરૂ કરી દીધું હતું.

Israel Omicron Death: ઓમિક્રોનની ઝપેટમાં આવ્યું ઇઝરાયલ, નવા વેરિઅન્ટથી 60 વર્ષીય વ્યક્તિએ દમ તોડયો
Israel Omicron Death ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 6:47 AM
Share

ઇઝરાયલમાં( Israel) કોરોનાવાયરસના (Corona) નવા ઓમિક્રોન વેરિઅન્ટને (Omicron Variant)કારણે મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. ઈઝરાયલના આરોગ્ય અધિકારીઓનું માનવું છે કે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે મૃત્યુનો પહેલો કેસ સામે આવ્યો છે. દેશના દક્ષિણી શહેર બીરશેબાની સોરોકા હોસ્પિટલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થયાના બે અઠવાડિયા પછી સોમવારે 60 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

હોસ્પિટલે કહ્યું કે મૃત્યુ પામનાર વ્યક્તિ પહેલાથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતો હતો. પરંતુ તેણે વધુ વિગતો આપી ન હતી. ઈઝરાયેલે એર ટ્રાફિક પર મોટાભાગે પ્રતિબંધ મૂક્યો છે. દેશની બહાર જવું અને દેશમાં પ્રવેશવું ખૂબ મુશ્કેલ છે. આ જ કારણ છે કે ઝડપથી ફેલાતા આ પ્રકારને રોકવા માટે સરકાર તબક્કાવાર પ્રતિબંધ લાગુ કરવાનું વિચારી રહી છે. ઓમિક્રોન વેરિઅન્ટથી બચવા માટે ઈઝરાયલમાં લોકોને બૂસ્ટર ડોઝ (Booster Dose) પણ આપવામાં આવી રહ્યો છે. જો કે આ પછી પણ ખતરો યથાવત છે.

કોરોનાને કારણે 8200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ વૃદ્ધ નાગરિકો અને ગંભીર બીમારીઓ ધરાવતા લોકો માટે ચોથા બૂસ્ટર શૉટને મંજૂરી આપવા માટે આરોગ્ય અધિકારીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઇઝરાયલ આ વર્ષની શરૂઆતમાં તેની વસ્તીને વ્યાપકપણે રસી આપનાર પ્રથમ દેશો પૈકી એક દેશ હતો. ઉનાળાની ઋતુમાં જ દેશમાં લોકોએ બૂસ્ટર ડોઝ લગાવવાનું શરૂ કરી દીધું હતું. 93 લાખની વસ્તી ધરાવતા ઈઝરાયલમાં કોવિડ-19ને કારણે 8200થી વધુ લોકોના મોત થયા છે.

ઓમિક્રોનના કારણે યુરોપમાં તોફાન આવી રહ્યું છે તે જ સમયે, યુરોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ટોચના અધિકારીએ મંગળવારે ઓમિક્રોનને કારણે સમગ્ર ખંડમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારા માટે સરકારોને તૈયાર રહેવા જણાવ્યું હતું. ઓમિક્રોન પહેલાથી જ ઘણા દેશોમાં પ્રભુત્વ ધરાવે છે. WHO ના સ્થાનિક નિર્દેશક ડૉ. હૈંસ ક્લુઝે જણાવ્યું હતું કે, આપણે બીજું તોફાન આવતા જોઈ શકીએ છીએ. થોડા અઠવાડિયામાં, ઓમિક્રોન આ પ્રદેશમાં વધુ દેશો પર પ્રભુત્વ મેળવશે, હૈંસ ક્લુઝે કહ્યું, આરોગ્ય પ્રણાલીઓને વધુ અસર કરશે જે પહેલાથી જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.

ક્લૂઝે જણાવ્યું હતું કે ઓમિક્રોન WHO ના યુરોપીયન ક્ષેત્રના ઓછામાં ઓછા 38 સભ્ય દેશોમાં મળી આવ્યો હતો. તે બ્રિટન, ડેનમાર્ક અને પોર્ટુગલમાં પહેલાથી જ પ્રભુત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે આ વિસ્તારમાં કોરોના વાયરસના કારણે 27 હજાર લોકોના મોત થયા છે અને 26 લાખ વધારાના કેસ નોંધાયા છે.

જો કે, આ કેસોમાં તમામ ફોર્મેટના ચેપના કેસોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 40 ટકા વધુ છે. ક્લુઝે કહ્યું, કોવિડ-19 કેસની વધતી સંખ્યાના પરિણામે, વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : AHMEDABAD : કૃષિ સહાય પેકેજનો લાભ લેવા ખેડૂતોએ 24 ડીસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર સહિત 14 રાજ્યોમાં પહોંચ્યો ઓમિક્રોન, ડરાવવા લાગ્યા છે મહારાષ્ટ્ર-દિલ્હીના આંકડા, જાણો દેશભરમાં કેટલી થઈ દર્દીઓની સંખ્યા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">