AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel Omicron Death: ઓમિક્રોનની ઝપેટમાં આવ્યું ઇઝરાયલ, નવા વેરિઅન્ટથી 60 વર્ષીય વ્યક્તિએ દમ તોડયો

ઇઝરાયલ (Israel) 2021ની શરૂઆતમાં તેની વસ્તીને વ્યાપકપણે રસી આપનાર પ્રથમ દેશો પૈકી એક હતો. ઉનાળાની ઋતુમાં જ દેશમાં લોકોને બૂસ્ટર ડોઝ લગાવવાનું શરૂ કરી દીધું હતું.

Israel Omicron Death: ઓમિક્રોનની ઝપેટમાં આવ્યું ઇઝરાયલ, નવા વેરિઅન્ટથી 60 વર્ષીય વ્યક્તિએ દમ તોડયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 6:47 AM
Share

ઇઝરાયલમાં( Israel) કોરોનાવાયરસના (Corona) નવા ઓમિક્રોન વેરિઅન્ટને (Omicron Variant)કારણે મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. ઈઝરાયલના આરોગ્ય અધિકારીઓનું માનવું છે કે દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે મૃત્યુનો પહેલો કેસ સામે આવ્યો છે. દેશના દક્ષિણી શહેર બીરશેબાની સોરોકા હોસ્પિટલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થયાના બે અઠવાડિયા પછી સોમવારે 60 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

હોસ્પિટલે કહ્યું કે મૃત્યુ પામનાર વ્યક્તિ પહેલાથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતો હતો. પરંતુ તેણે વધુ વિગતો આપી ન હતી. ઈઝરાયેલે એર ટ્રાફિક પર મોટાભાગે પ્રતિબંધ મૂક્યો છે. દેશની બહાર જવું અને દેશમાં પ્રવેશવું ખૂબ મુશ્કેલ છે. આ જ કારણ છે કે ઝડપથી ફેલાતા આ પ્રકારને રોકવા માટે સરકાર તબક્કાવાર પ્રતિબંધ લાગુ કરવાનું વિચારી રહી છે. ઓમિક્રોન વેરિઅન્ટથી બચવા માટે ઈઝરાયલમાં લોકોને બૂસ્ટર ડોઝ (Booster Dose) પણ આપવામાં આવી રહ્યો છે. જો કે આ પછી પણ ખતરો યથાવત છે.

કોરોનાને કારણે 8200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ વૃદ્ધ નાગરિકો અને ગંભીર બીમારીઓ ધરાવતા લોકો માટે ચોથા બૂસ્ટર શૉટને મંજૂરી આપવા માટે આરોગ્ય અધિકારીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઇઝરાયલ આ વર્ષની શરૂઆતમાં તેની વસ્તીને વ્યાપકપણે રસી આપનાર પ્રથમ દેશો પૈકી એક દેશ હતો. ઉનાળાની ઋતુમાં જ દેશમાં લોકોએ બૂસ્ટર ડોઝ લગાવવાનું શરૂ કરી દીધું હતું. 93 લાખની વસ્તી ધરાવતા ઈઝરાયલમાં કોવિડ-19ને કારણે 8200થી વધુ લોકોના મોત થયા છે.

ઓમિક્રોનના કારણે યુરોપમાં તોફાન આવી રહ્યું છે તે જ સમયે, યુરોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ટોચના અધિકારીએ મંગળવારે ઓમિક્રોનને કારણે સમગ્ર ખંડમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારા માટે સરકારોને તૈયાર રહેવા જણાવ્યું હતું. ઓમિક્રોન પહેલાથી જ ઘણા દેશોમાં પ્રભુત્વ ધરાવે છે. WHO ના સ્થાનિક નિર્દેશક ડૉ. હૈંસ ક્લુઝે જણાવ્યું હતું કે, આપણે બીજું તોફાન આવતા જોઈ શકીએ છીએ. થોડા અઠવાડિયામાં, ઓમિક્રોન આ પ્રદેશમાં વધુ દેશો પર પ્રભુત્વ મેળવશે, હૈંસ ક્લુઝે કહ્યું, આરોગ્ય પ્રણાલીઓને વધુ અસર કરશે જે પહેલાથી જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.

ક્લૂઝે જણાવ્યું હતું કે ઓમિક્રોન WHO ના યુરોપીયન ક્ષેત્રના ઓછામાં ઓછા 38 સભ્ય દેશોમાં મળી આવ્યો હતો. તે બ્રિટન, ડેનમાર્ક અને પોર્ટુગલમાં પહેલાથી જ પ્રભુત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે આ વિસ્તારમાં કોરોના વાયરસના કારણે 27 હજાર લોકોના મોત થયા છે અને 26 લાખ વધારાના કેસ નોંધાયા છે.

જો કે, આ કેસોમાં તમામ ફોર્મેટના ચેપના કેસોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 40 ટકા વધુ છે. ક્લુઝે કહ્યું, કોવિડ-19 કેસની વધતી સંખ્યાના પરિણામે, વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : AHMEDABAD : કૃષિ સહાય પેકેજનો લાભ લેવા ખેડૂતોએ 24 ડીસેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર સહિત 14 રાજ્યોમાં પહોંચ્યો ઓમિક્રોન, ડરાવવા લાગ્યા છે મહારાષ્ટ્ર-દિલ્હીના આંકડા, જાણો દેશભરમાં કેટલી થઈ દર્દીઓની સંખ્યા

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">