CORONA : પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર IAS Shyam Poonia ભડક્યા છે. કોરોના કેટલો ખતરનાક છે તે આપણે બધા સારી રીતે જાણી ગયા છીએ. હજી પણ લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ભીડ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે, જેથી આ રોગચાળો વધુ ન ફેલાય.
પરંતુ આટ આટલા કેસો અને મૃત્યુ બાદ પણ કેટલાક લોકો હજી પણ આ અપીલને ગંભીરતાથી લઈ રહ્યા નથી. આથી પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર આઈએએસ શ્યામ પુનિયાએ કટાક્ષ સાથે ગુસ્સો વ્યક્ત કર્યો છે.
આઈએએસ શ્યામ પુનિયાએ કર્યું ટ્વીટ
હજી કોરોના ગયો નથી અને આમ છતાં પ્રવાસન સ્થળો ખુલ્લા મુકવાની મંજુરી મળતા પ્રવાસીઓ આવ સ્થળો પર લખોની સંખ્યામાં ભેગા થવા લાગ્યા છે. આ સ્થિતિ જોઈને આઈએએસ શ્યામ પુનિયા (IAS Shyam Poonia) એ ટ્વીટ કર્યું છે-
“બે મહિના પહેલા કોઈ હોસ્પિટલમાં જગ્યા નહોતી મળતી અને હવે હોટેલોના જગ્યા નથી મળી રહી. અમે આવા જ છીએ, સુધરવાના નથી”
2 महीने पहले किसी हॉस्पिटल में कमरा नहीं था अब किसी पर्यटन स्थल के होटल में कमरा नहीं है.
*हम ऐसे ही हैं..*
प्रभु आप कृपा बनाए रखना…..हम तो सुधरेंगे नही
— Shyam Poonia, IAS (@ishyampoonia) July 1, 2021
લોકોએ કર્યુ સમર્થન
હવે આઈએએસ શ્યામ પુનિયા (IAS Shyam Poonia)ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હજી સુધી આ પોસ્ટને લગભગ બે હજાર લોકોએ પસંદ કરી છે.જ્યારે, 162 લોકોએ રીટ્વીટ કર્યું છે. આ સાથે યુઝર્વને પણ આ પોસ્ટ પર સતત પ્રતિસાદ આપી રહ્યા છે.
Janta ke liye sarkar prayas karti hai lekin janta apni jimedari kabhi nahi lena chahti jab tak ki dabao na banaya jae.. Ab koi kaise kisi ko bolta rahe ki bhai mask laga lo.. bina kaam ke mat niklo..
— पंकज कुमार गुप्ता (@Pankajdev8111) July 1, 2021
Exactly sir . We will never change.. our society will never change that’s real fact. There have few empty room in himachal pradesh’s & uttarakhand’s tourist spot.
— Saptarshi Das (@Sapi_d30) July 1, 2021
Published On - 12:06 am, Fri, 2 July 21