ગુજરાતમાં(Gujarat) કોરોના કેસ (Corona Case) સતત વધી રહ્યા છે.છેલ્લા 20 દિવસમાં કોરોના કેસ 40થી લઈને 244 સુધી પહોંચી ગયા છે.તેમાંય છેલ્લા 4 દિવસથી કોરોનાએ (Covid 19) બેવડી સદી મારી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 244 કેસ નોંધાયા છે.જો કે રાહતની વાત એ છે કે, કોરોનાને લીધે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. સાથે જ 131 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કોરોના કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની(Corona Active Case) સંખ્યા પણ 1374 પહોચી ગઈ છે.કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે,ત્યારે વધી રહેલા કોરોના કેસે તંત્રની ચિંતા વધારી છે.
બીજી તરફ અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના 120 નવા કેસ નોંધાયા.સુરતમાં 38, વડોદરામાં 34, રાજકોટમાં 10, વલસાડમાં 6 નવા દર્દીઓ મળ્યા.તો રાજ્યભરમાં 10,937 નાગરિકોને કોરોનાની રસી અપાઈ છે જ્યારે અત્યાર સુધી ગુજરાતમાં રસીના કુલ 11.08 કરોડથી વધુ ડોઝ અપાયા છે.રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99 ટકા પર પહોચ્યો છે.કોરોનાને કારણે રાજ્યમાં કુલ 10946 મૃત્યુ થઈ ચૂક્યા છે.
શનિવારે એક જ દિવસમાં દેશમાં કોરોના વાયરસ (India Coronavirus Cases)ના 12,899 નવા કેસ નોંધાયા હતા.જયારે 15 દર્દીઓના કોરોનાને કારણે મોત પણ થયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, નવા કેસો બાદ કુલ સક્રિય કેસ (Covid-19 Active Cases) વધીને 72,474 થઈ ગયા છે. આ સાથે 8,518 રિકવરી પણ નોંધાઈ છે. શનિવારે, રાજધાની દિલ્હીમાં 1,534 નવા કેસ નોંધાયા હતા અને વાયરસને કારણે ત્રણ મૃત્યુ થયા હતા. અહીં સકારાત્મકતા દર 7.71 ટકા છે. હાલમાં રાજધાની દિલ્હીમાં પણ 5119 સક્રિય કેસ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1255 લોકો સ્વસ્થ થયા છે.