અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર થયેલ 19 PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીની ત્રીજી લહેર સામે વિશ્વ આખુ ઝઝૂમી રહ્યુ છે ત્યારે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન શરૂ કર્યું અને દેશવાસીઓને રક્ષા કવચ આપ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર થયેલ 19 PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ
CM launches 19 PSA Oxygen Generation Plant prepared by Ahmedabad Municipal Corporation
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Feb 01, 2022 | 10:02 PM

Ahmedabad: કોરોનાની (Corona) ત્રીજી લહેરના સામનાની તૈયારીના ભાગરૂપે દરેક રાજ્યોને ઓક્સિજન પ્લાન્ટ (Oxygen plant)ઊભા કરવા માટે ભારત સરકાર તરફથી સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 મોટી જનરલ હોસ્પિટલો, 9 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો તથા એક કોવિડ કેર સેન્ટર ખાતે PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટ નાખવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જે અનુસાર 2000,1000,500 LPM એમ જુદી જુદી કેપીસીટિના કુલ 19 જેટલા પ્લાન્ટ કુલ રૂપિયા 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા હતા. જેનું લોકાર્પણ આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના (Chief Minister Bhupendra Patel) વરદ હસ્તે કરવામાં આવ્યું.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા વર્ચ્યુઅલી આ લોકાર્પણ પ્રસંગે જોડાયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીની ત્રીજી લહેર સામે વિશ્વ આખુ ઝઝૂમી રહ્યુ છે ત્યારે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન શરૂ કર્યું અને દેશવાસીઓને રક્ષા કવચ આપ્યું છે. ગુજરાતમાં રસીકરણ અભિયાન અંતર્ગત લોકોને રસી આપવામાં આવી છે. જેનાથી અત્યારે ત્રીજી લહેરમાં સંક્રમણમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 9 કરોડ, 76 લાખ, 86 હજાર, 539 રસીના ડોઝ નાગરિકોને આપવામાં આવ્યા છે. આમ છતાં રાજ્ય સરકારે આગોતરા આયોજનના ભાગરૂપે PSA પ્લાન્ટની સુવિધા વ્યાપક બનાવી છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

દુનિયાના વિકસિત અને આધુનિક શહેરોમાં જેની ગણના થાય છે તેવા અમદાવાદના નગરજનોની આરોગ્યની સુખાકારીમાં વધારો કરવા માટે એકસાથે 19 ઓક્સિજન જનરલ પ્લાન્ટ અમદાવાદના નગરજનોને મળી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 20 કરોડના ખર્ચે તૈયાર કરેલા આ પ્લાન્ટ અમદાવાદની ત્રણ મોટી જનરલ હોસ્પિટલ, 9 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને એક કોવિડ કેર સેન્ટર ખાતે લગાવવામાં આવ્યા છે. 5 હજાર થી 2 હજાર લિટરની કેપેસીટી ધરાવતા આ પ્લાન્ટ જરૂરિયાતના સમયે દર્દીઓની ઓક્સિજનની માંગને પૂરી પાડશે.

કોરોનાની બીજી લહેર દરમિયાન મેડિકલ ઓક્સિજનની માંગ ખૂબ વધી હતી અને નવા ઓક્સિજન પ્લાન્ટની જરૂરિયાત ઊભી થઈ હતી તેમ જણાવતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે સદભાગ્યે ત્રીજી લહેર દરમિયાન આવી કોઈ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું નથી આની પાછળનું મુખ્ય કારણ ગુજરાતમાં ચાલુ રહેલું વ્યાપક રસીકરણ અભિયાન છે, અને જેના પરિણામે રાજ્યમાં આજે દર્દીઓનું હોસ્પિટલાઇઝેશન ઓછું થયું અને ઓક્સિજનની જરૂર પણ ઓછી પડી છે, અત્યારે ત્રીજી લહેરમાં કોરોનાના એવા દર્દી અસરગ્રસ્ત થયા હતા જેમણે કોરોનાની રસી લીધી નથી. રસી ન લીધી હોય તો કોરોના સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ વિકસે નહીં તે સ્વાભાવિક છે. આજે આવા દર્દીઓને વેન્ટિલેટર પર રાખીને ઓક્સિજન આપવો પડ્યો હોય તેવા કિસ્સા જૂજ સંખ્યામાં જોવા મળી રહ્યા છે.

પડકારોને પહોંચી વળવાની ક્ષમતા નરેન્દ્ર મોદીએ આપણને આપી છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે બે- બે લહેરની તીવ્રતા દરમિયાન ઓક્સીજનની જરૂરિયાતને પૂરી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારોએ આ પડકારને સ્વીકારીને સરકારના તમામ તંત્ર તેમાં જોડાયા અને દેશભરમાં ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી. એરફોર્સના વિમાનો અને નૌસેનાની પણ મદદ લેવાઇ. કેન્દ્ર સરકારે રેલ્વેના સહયોગથી 424 થી વધુ ઓક્સિજન એક્સપ્રેસ દોડાવીને દેશભરના વિવિધ રાજ્યોમાં 1748 થી વધુ ટેન્કરોનો લગભગ 30,455 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન પૂરો પાડયો હતો. કોરોનાની પ્રથમ બે લહેરના અનુભવમાંથી આપણે ગુજરાતની હોસ્પિટલોને મેડિકલ ઓક્સિજનની વ્યવસ્થા બાબતે આત્મનિર્ભર બનાવવનું આયોજન રાખ્યું હતું. જેની તૈયારીના ભાગરૂપે હાલમાં રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં 445 psa પ્લાન્ટ કાર્યરત છે. તથા પી.એમ.કેર્સ ફંડ અંતર્ગત ગુજરાત માટે 89.91 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા 59 પ્લાન્ટ કાર્યરત થઇ ચુકયા છે.

જેમાં તમામ સાંસદો અને ધારાસભ્યોના ફંડમાંથી પણ 55 psa પ્લાન્ટ રાજ્યોની આરોગ્ય સંસ્થાઓને મળ્યા છે. આ પ્લાન્ટની ઓક્સિજન ઉત્પાદન ક્ષમતા લગભગ 31.39 મેટ્રિક ટન છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે મોદીજીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપ્યો છે, આપણે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. મેડિકલ ઓક્સિજનના જનરેશન, સ્ટોરેજ અને સપ્લાયની બાબતમાં ગુજરાતે આત્મનિર્ભરતા કેળવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક બનાવવા માટે અનેક પગલાં લીધા છે. જેમાં સ્વદેશી માસ વેકસિનેશન, દવાઓ, ઓક્સિજનનું ઉત્પાદન અને રાજ્યોને પણ આરોગ્ય રક્ષા કવચ ઉપાડવા માટે સતત માર્ગદર્શન આપ્યું છે.

વર્તમાન કોરોના મહામારીથી દેશ અને દુનિયાને ઓકસિજનનું મહત્વ સમજાયું છે. ગ્રીન કવર વધારી કુદરતી પ્રાણવાયુ માટેની સમજણ વધી છે. હવા, પાણી, જમીનના પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જની અસર નિવારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને clean green નો નવો રાહ ચિંધ્યો છે તેમણે કંડારેલી કેડી પર ચાલીને ગુજરાતમાં PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સ્થાપના, રસીકરણ અભિયાન,ગ્રીન એનર્જીના વપરાશક્ષેત્રે દેશમા અત્યારે અગ્રેસર છે. રાજયના તમામ નાગરિકોની તંદુરસ્તી જળવાય એવી સ્થિતિનું નિર્માણ આપણે સૌએ કરવાનું છે તેમ મુખ્યમંત્રીએ ભાર પૂર્વક જણાવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટકુમાર પરમારે રૂ,20 કરોડના ખર્ચે તૈયાર થયેલ 19 PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટની માહિતી આપી હતી. ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થવાથી હોસ્પિટલની 1393 પથારી ઉપર ઓક્સિજનની સુવિધા મળવાપાત્ર થશે. અને લીકવીડ ઓક્સીજનના સપ્લાયનું ભારણ ઘટશે. જેમાં SVP માં 6 પ્લાન્ટ, એલ.જી હોસ્પિટલમાં 1, શારદાબેન હોસ્પિટલમાં 1, સમરસ હોસ્પિટલમાં 2, 9 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે 9 PSA ઓક્સિજન જનરેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે અમદાવાદ શહેર મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર હિતેશભાઈ બારોટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા વર્ચ્યુઅલ અને ધારાસભ્યો, સાંસદો લોકાર્પણ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : મુંબઈકરોને મોટી રાહતઃ નાઈટ કર્ફ્યુ ખતમ, 50 ટકા ક્ષમતા સાથે ખુલશે થીમ પાર્ક-સ્વિમિંગ પૂલ, જાણો શું છે નવા નિયમો?

આ પણ વાંચો : ભારત-નેપાળ વચ્ચેના સંબંધો થશે મજબૂત, ધારચુલામાં મહાકાલી નદી પર બ્રિજ બનાવવાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે

Latest News Updates

કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
g clip-path="url(#clip0_868_265)">