કોરોનાએ ફરી માથું ઉંચક્યુ, હોંગકોંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ

|

Apr 18, 2022 | 9:28 AM

હોંગકોંગ (Hongkong) સરકાર દ્વારા કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.જે મુજબ હવે ભારતના પ્રવાસીઓ હોંગકોંગ ત્યારે જ પહોંચી શકે છે જો તેમની મુસાફરીના 48 કલાક પહેલા કોવિડ ટેસ્ટ નેગેટિવ આવે.

કોરોનાએ ફરી માથું ઉંચક્યુ, હોંગકોંગે એર ઈન્ડિયાની ફ્લાઈટ પર લગાવ્યો પ્રતિબંધ
Air india (File Photo)

Follow us on

કેટલાક મુસાફરો કોરોનાથી (Corona) સંક્રમિત જણાયા બાદ હોંગકોંગે  (Hongkong) નવી દિલ્હી અને કોલકાતાથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ (Air India Flight) પર 24 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. અહીં કોરોના કેસ વધ્યા બાદ હોંગકોંગ સરકાર (Hongkong Government) દ્વારા કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ હવે ભારતના પ્રવાસીઓ હોંગકોંગ ત્યારે જ પહોંચી શકશે જો તેમની મુસાફરીના 48 કલાક પહેલા કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવે. તમને જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં હોંગકોંગ, ભારત સહિત આઠ દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ પર બે સપ્તાહ માટે પ્રતિબંધની જાહેરાત કરી હતી.

એર ઈન્ડિયાએ રવિવારે ટ્વીટ કર્યું, “હોંગકોંગ સત્તાવાળાઓ દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો અને સેક્ટર પર મર્યાદિત માંગને કારણે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.” આ સિવાય હોંગકોંગ સરકાર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યુ હતુ. તેમણે કહ્યું કે આ પ્રતિબંધ ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, ભારત, પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સના(United States)  પ્રવાસીઓને અસર કરશે.”

મુસાફરોના કોરોના પોઝિટિવ આવ્યા બાદ લેવાયો નિર્ણય

HKSARના ચીફ એક્ઝિક્યુટિવ કેરી લેમ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ફ્લાઈટ સસ્પેન્શનની જાહેરાત કરવામાં આવી હતી. લેમે વધુમાં જણાવ્યું હતું કે ફ્લાઇટને સ્થગિત કરવાનો નિર્ણય સ્થાનિક COVID-19 પરિસ્થિતિને કારણે લેવામાં આવ્યો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે હોંગકોંગે શનિવારે તેની એક ફ્લાઈટના ત્રણ મુસાફરોના કોરોના પરીક્ષણ કર્યા પછી 24 એપ્રિલ સુધી એર ઈન્ડિયાની સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હોંગકોંગમાં વેક્સિનેશન ક્લિનિકલ ટ્રાયલ માટે મંજુરી

હોંગકોંગમાં બે દિવસ પહેલા ચીનના(China)  નેશનલ બાયોટેક ગ્રુપના એકમોએ બૂસ્ટર ડોઝના રૂપમાં ક્લિનિકલ ટ્રાયલ માટે બે કોવિડ-19 વેક્સિન મંજૂર કરી છે. સિનોફાર્મની પેટાકંપનીએ શનિવારે આ માહિતી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને રસી કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને નિશાન બનાવવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવી છે. તેના ડેટાએ સંકેત આપ્યો છે કે જૂના તાણ પર આધારિત કોરોના રસીમાંથી એન્ટિબોડીઝ અત્યંત ટ્રાન્સમિસિબલ વેરિઅન્ટને નિષ્ક્રિય કરવામાં સફળ નથી.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો : Delhi COVID-19 Update: દિલ્હીમાં ફરી કોરોનાનો પગપેસારો, છેલ્લા 24 કલાકમાં 517 નવા સંક્રમિત, 1518 એક્ટિવ કેસ

Published On - 9:27 am, Mon, 18 April 22

Next Article