શિક્ષણ મંત્રાલયે (Ministry of Education) રવિવારે પ્રધાનમંત્રી યુવા લેખક માર્ગદર્શન યોજના YUVA 2.0 શરૂ કરી. તેનો હેતુ યુવા અને ઉભરતા Writersને દેશમાં વાંચવા, લખવા અને પુસ્તક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે તાલીમ આપવાનો છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, YUVA 2.0 પ્રોજેક્ટ (75 આઝાદી કા અમૃત મહોત્સવ) લોકશાહીની થીમ (સંસ્થાઓ, ઘટનાઓ, લોકો, બંધારણીય મૂલ્યો – ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય) પર લેખકોની યુવા પેઢીના વિઝનને આગળ લાવવા માટ નો ભાગ છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના લેખકોનું એક જૂથ બનાવશે જે ભારતીય વારસો, સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વિષયો પર લખી શકશે. તેમણે વધુમાં કહ્યું, ‘ભારત 66 ટકા યુવા વસ્તી સાથે આ શ્રેણીમાં ટોપ પર છે. આ લોકો રાષ્ટ્રના નિર્માણની તકની રાહ જોઈ રહ્યા છે. યુવા લેખકોને માર્ગદર્શન આપવાના આશયથી આપણે ઉચ્ચ કક્ષાએ પહેલ કરવાની તાતી જરૂર છે. આ સંદર્ભમાં YUVA 2.0 સર્જનાત્મક વિશ્વના ભાવિ નેતાઓ માટે પાયો નાખવામાં ખૂબ આગળ વધશે.
શિક્ષણ મંત્રાલયે (Ministry of Education) રવિવારે પ્રધાનમંત્રી યુવા લેખક માર્ગદર્શન યોજના YUVA 2.0 શરૂ કરી છે. તેનું કાર્ય યુવા યોજનાને આપવામાં આવેલા માર્ગદર્શનના ઉલ્લેખિત તબક્કાઓ હેઠળ યોજનાને તબક્કાવાર અમલમાં મૂકવાનું છે. આ યોજના હેઠળ તૈયાર કરાયેલા પુસ્તકો NBT દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.
સંસ્કૃતિ અને સાહિત્યના આદાન-પ્રદાનને સુનિશ્ચિત કરીને, પુસ્તકનો અન્ય ભારતીય ભાષાઓમાં પણ અનુવાદ કરવામાં આવશે. જે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ને પ્રોત્સાહન આપશે. પસંદગીના યુવા લેખકો વિશ્વના કેટલાક શ્રેષ્ઠ લેખકો સાથે વાર્તાલાપ કરશે. આ ઉપરાંત તેઓ સાહિત્યિક ઉત્સવો વગેરેમાં પણ ભાગ લેશે.
આ યોજના લેખકોની એક સાંકળ બનાવવામાં મદદ કરશે, જે ભારતમાં લોકશાહીના વિવિધ પાસાઓ પર ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને આવરી શકે. આ ઉપરાંત, તે યુવાનોને પોતાને અભિવ્યક્ત કરવા અને ભારતીય લોકતાંત્રિક મૂલ્યોની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મંચ પર વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે એક વિંડો પણ પ્રદાન કરશે.
(ભાષા ઇનપુટ સાથે)