નીતિ આયોગમાં સરકારી નોકરી મેળવવાની ઘણી સારી તક છે. નીતિ આયોગ તરફથી કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલના પદ પર ભરતી માટે એક નોટિફિકેશન જાહેર કરી છે. જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ કુલ 28 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોએ નીતિ આયોગની (Niti Aayog) ઓફિશિયલ વેબસાઇટ – workforindia.niti.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આમાં અરજી કરતા પહેલા તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને નોટિફિકેશન ચેક કરી શકો છો. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી આ વેકેન્સી માટેની અરજી પ્રક્રિયા આજથી એટલે કે 13 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 12 ઓક્ટોબર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. તમે આ વેકેન્સી માટે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.
વેકેન્સી માટે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ અલગ-અલગ પદો માટે લાયકાત પણ અલગ અલગ રીતે સેટ કરવામાં આવી છે. કન્સલ્ટન્ટ ગ્રેડ 1 અને યંગ પ્રોફેશનલ માટે ઉમેદવારો પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી નિર્ધારિત ક્ષેત્રમાં હોવી ફરજિયાત રહેશે. લાયકાત સંબંધિત અન્ય જાણકારી તમે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ શકો છો.
સેલેરી વિશે વાત કરીએ તો કન્સલ્ટન્ટ ગ્રેડ 1ના પદ પર નિયુક્ત થયેલા ઉમેદવારોને રૂ. 80,000 થી લઈને રૂ. 1.45 લાખ સુધીની બેઝિક સેલેરી મળશે. યંગ પ્રોફેશનલની પોસ્ટ પર નિયુક્ત થયેલા ઉમેદવારોને 70,000 રૂપિયા સુધીનો પગાર મળશે. આ સિવાય અન્ય ભથ્થાનો લાભ પણ મળશે.