Gujarati NewsCareerUPSC One Time Registration OTR link is active and register immediately by visiting upsc.gov.in
UPSC OTR લિંક એક્ટિવ, શું છે આ OTR ? આના વિના તમે યુપીએસસીની કોઈપણ પરીક્ષા નહીં આપી શકો
UPSC વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે OTR લિંક એક્ટિવ છે. upsc.gov.in અથવા upsconline.nic.in ની મુલાકાત લઈને તરત જ રજીસ્ટ્રેશન કરો. આના વિના કોઈ પણ UPSC પરીક્ષા આપી શકશે નહીં.
UPSC One Time Registration
Follow us on
કોઈપણ UPSC પરીક્ષામાં બેસવા માટે OTR જરૂરી છે. આના વિના તમે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની કોઈપણ પરીક્ષા આપી શકશો નહીં. યુપીએસસીએ કહ્યું છે કે તે દરેક ઉમેદવાર માટે ફરજિયાત છે. OTR એટલે વન ટાઈમ રજીસ્ટ્રેશન. તમારે આ પ્રક્રિયા માત્ર એક જ વાર પુરી કરવી પડશે, પરંતુ તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ માટે, પંચે તેની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.inપરની લિંકને પણ સક્રિય કરી છે. સંપૂર્ણ માર્ગદર્શિકા અને વારંવાર પૂછાતા પ્રશ્નોના જવાબો પણ આપવામાં આવ્યા છે. જાણો UPSC Exams માટે તમે વન ટાઇમ રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો?
યુપીએસસી માટે One Time Registration માટેની પદ્ધતિ અને જરૂરી સૂચનાઓ આગળ આપવામાં આવી છે. ડાયરેક્ટ લિંક પણ આપવામાં આવી છે.
UPSC વન ટાઈમ રજીસ્ટ્રેશન આ રીતે કરો
UPSCની મુખ્ય વેબસાઈટ upsc.gov.in દ્વારા, તમે વન ટાઈમ રજીસ્ટ્રેશનના પેજ પર જઈ શકો છો. તમે upsconline.nic.in પર જઈને સીધું રજીસ્ટ્રેશન પણ કરી શકો છો.
બંને વેબસાઈટ પર, તમને UPSC OTR અને ઓનલાઈન અરજી માટેની લિંક મળશે. તેને ક્લિક કરો.
OTR પેજ ખુલશે. નવા રજીસ્ટ્રેશનના વિભાગમાં જઈને તમારા ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર સાથે અહીં રજીસ્ટ્રેશન કરો.
રજીસ્ટ્રેશન કર્યા પછી, તમારે તમારી સંપૂર્ણ વ્યક્તિગત, શૈક્ષણિક વિગતો સાથે ઑનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. અહીં તમારો ફોટો, સ્કેન કરેલી સહી, અંગૂઠાની છાપ અને અન્ય ડોક્યુમેન્ટ્સની પણ જરૂર પડી શકે છે. તો બધું તૈયાર રાખો.
રજીસ્ટ્રેશન પર તમારા માટે એક OTR ID બનાવવામાં આવશે. આ આઈડી વડે લોગિન કરવાથી તમને યુપીએસસીની તમામ એક્ટિવ પરીક્ષાઓ વિશે માહિતી મળશે. તમે ત્યાંથી કોઈપણ પરીક્ષા માટે અપ્લાઈ કરી શકશો.
OTR શા માટે જરૂરી છે?
એકવાર રજીસ્ટ્રેશન કર્યા પછી, તમારી સંપૂર્ણ વિગતો UPSC સાથે ઑનલાઇન સાચવવામાં આવશે. જ્યારે પણ તમે ફોર્મ ભરો છો, ત્યારે પહેલાથી ભરેલી માહિતી આપમેળે મેળવવામાં આવશે. OTR માટે અલગથી કોઈ ફી લેવામાં આવશે નહીં. જો પછીથી તમારે કોઈપણ માહિતીમાં કોઈ ફેરફાર કરવો હોય, જેમ કે શૈક્ષણિક લાયકાતમાં કોઈપણ અપડેટ, અથવા સરનામામાં ફેરફાર.. તો તમે કરી શકો છો.
ડાયરેક્ટ લિંક પરથી UPSC OTRફોર્મ ભરવા માટે ક્લિક કરો.
વન ટાઈમ રજીસ્ટ્રેશન અંગે યુપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી FAQ વાંચવા માટે ક્લિક કરો.