UPSCની પરિક્ષાના ઈન્ટરવ્યૂમાં ફેઈલ થયાં તો પણ મળશે સરકારી નોકરી! UPSCએ સરકારને મોકલાવી દરખાસ્ત
ભારતમાં UPSCની પરીક્ષા સૌથી અઘરી પરીક્ષાઓમાં ગણવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરીને ઉમેદવારો IAS બનવાનું સપનું રાખતા હોય છે. UPSCની પરિક્ષામાં ત્રણ સ્ટેજ બાદ સફળતા મળતી હોય છે. જેમાં પ્રથમ પ્રિલીમિનરી પરિક્ષા, પછી મેઈન્સ પરિક્ષા અને છેલ્લે ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવતું હોય છે. જો કે આ પરિક્ષામાં લાખો ઉમેદવારોમાંથી માત્ર થોડાંક ઉમેદવારો જ આ પરિક્ષા […]
ભારતમાં UPSCની પરીક્ષા સૌથી અઘરી પરીક્ષાઓમાં ગણવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરીને ઉમેદવારો IAS બનવાનું સપનું રાખતા હોય છે.
UPSCની પરિક્ષામાં ત્રણ સ્ટેજ બાદ સફળતા મળતી હોય છે. જેમાં પ્રથમ પ્રિલીમિનરી પરિક્ષા, પછી મેઈન્સ પરિક્ષા અને છેલ્લે ઈન્ટરવ્યૂ ગોઠવવામાં આવતું હોય છે. જો કે આ પરિક્ષામાં લાખો ઉમેદવારોમાંથી માત્ર થોડાંક ઉમેદવારો જ આ પરિક્ષા પાસ કરી શકે છે. યુપીએસસી પરિક્ષામાં 700થી 800 જગ્યાઓ પડે છે અને તેના માટે લાખો ઉમેદવારો પ્રયત્ન કરતાં હોય છે.
યુપીએસસી હવે નવા નિયમો લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે સરકારની વિવિધ કેન્દ્રીય સંસ્થાઓને યુપીએસસીના માધ્યમથી દરખાસ્ત મોકલવામાં આવી છે. આ દરખાસ્તમાં જે ઉમેદવારો ઈન્ટરવ્યૂ વખતે યુપીએસસીની પરિક્ષામાં ફેઈલ થઈ જાય તેને બીજી નોકરી આપવા અંગેની વાત કરવામાં આવી છે.
ઈન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર દ્વારા મળેલાં અહેવાલ મુજબ ઓડિશામાં આયોજીત રાજ્ય લોક સેવા આયોગના કાર્યક્રમમાં યુપીએસસીના અધ્યક્ષ અરવિંદ સક્સેનાએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને મંત્રાલયોને જે લોકો યુપીએસસીના ઈન્ટરવ્યૂમાં ફેઈલ થાય છે તેને ભરતી કરવા અંગે દરખાસ્ત મોકલવામાં આવી છે. યુપીએસસી અધ્યક્ષ પરીક્ષાને ઉમ્મેદવારો માટે વધારે સરળ બનાવવા માટે આ નવા કદમ ઉપાડી રહી છે, જેમાં આગામી વર્ષોમાં આવેદન ફોર્મ પાછું લેવાનો પણ વિકલ્પ મળશે.
[yop_poll id=1313]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]