કેરળ હાઇકોર્ટમાં EWS અનામતને પડકારતી અરજીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટ દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારોને નોકરીઓમાં 10 ટકા અનામત અને પ્રવેશમાં કેન્દ્ર સરકારના (central government) નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી.
એક મહત્વપુર્ણ ઠઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે (Supreme court) કેરળ હાઈકોર્ટ (High Court) દ્વારા આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના ઉમેદવારોને નોકરીઓમાં 10 ટકા અનામત અને પ્રવેશમાં કેન્દ્ર સરકારના (central government) નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે આ અરજી પર શુક્રવારે રોક લગાવી દીધી હતી.
મુખ્ય ન્યાયાધીશ (Chief Justice) એન.વી. રમણ, ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની ખંડપીઠે પણ કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ જારી કરી, આ બાબતને હાઇકોર્ટમાંથી (High Court) સુપ્રીમ કોર્ટમાં (Supreme court) ટ્રાન્સફર કરવાની વિનંતી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અગાઉ આ જ પ્રકારનો કેસ પાંચ જજની બંધારણીય બેન્ચને મોકલ્યો હતો.
કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા અને ન્યુઝમ પીકેને નોટિસ આપવા ઉપરાંત હાઈકોર્ટ (High Court) સમક્ષ કાર્યવાહી પર સ્ટે માંગ્યો. જેમણે ત્યાં પીઆઈએલ દાખલ કરી હતી. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, રિટ પિટિશનમાં આ કોર્ટ સમક્ષ પેન્ડિંગ કાયદાનો સમાન પ્રશ્ન સામેલ છે કે, શું બંધારણ (103 સુધારો) અધિનિયમ, 2019 ભારતના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે અને બંધારણના મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ છે.
‘તમામ કેસો સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની જરૂર છે’
તેમાં જણાવાયું છે કે, આ રિટ પિટિશન ટ્રાન્સફર કરીને આ તમામ બાબતો એકસાથે સાંભળવામાં આવશે અને જુદી જુદી અદાલતો દ્વારા અસંગત આદેશો પસાર થવાની સંભાવના ટાળવામાં આવશે. અરજીની ટ્રાન્સફર જરૂરી છે કારણ કે, સમાન અરજી અને કાયદાની માન્યતા સંબંધિત અન્ય અરજીઓ આ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
સુપ્રીમ કોર્ટે અગાઉ આર્થિક રીતે નબળા વર્ગોને નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચને કેટલીક અરજીઓ અને ટ્રાન્સફર અરજીઓ મોકલી હતી. કોર્ટે કેન્દ્રના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.