જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ્ડ 2022 માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. જે ઉમેદવારોએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેમની પાસે વધુ એક તક છે. IIT Bombay એ અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. ઉમેદવારો હવે 12 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યા સુધી ઓફિશિયલ વેબસાઇટ jeeadv.nic.in પર જઈને અરજી કરી શકે છે. JEE એડવાન્સ 2022ની પરીક્ષા 28 ઓગસ્ટના રોજ યોજાવાની છે. પ્રથમ JEE એડવાન્સ માટે પ્રથમ નોંધણી તારીખ 11 ઓગસ્ટ 2022 છે. JEE મેન્સ પરિણામ જાહેર થયા પછી 2.5 લાખ વિદ્યાર્થીઓ JEE એડવાન્સ માટે પાત્ર બનશે.
JEE એડવાન્સ માટે આ રીતે કરો નોંધણી…
JEE Mainsની પરીક્ષા 28 ઓગસ્ટના રોજ યોજાવાની છે, તેથી JEE એડવાન્સ એડમિટ કાર્ડ પરીક્ષાના એક અઠવાડિયા પહેલા બહાર પાડવામાં આવે તેવી આશા છે. IIT JEE એટલે કે એડવાન્સ પરીક્ષા 2022 IIT બોમ્બે દ્વારા રવિવારે લેવામાં આવશે. પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. પેપર 1 ની પરીક્ષા સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી પ્રથમ શિફ્ટમાં લેવામાં આવશે. પેપર 2ની પરીક્ષા બપોરે 2.30 થી 5.30 દરમિયાન બીજી શિફ્ટમાં લેવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન 2022ની ફાઇનલ મેરિટ લિસ્ટમાં ટોચના 2,50,000 રેન્કમાં સામેલ છે, તેઓ JEE એડવાન્સ પરીક્ષા 2022 માટે પાત્ર બનશે. જો કે, બે કે તેથી વધુ વિદ્યાર્થીઓનો રેન્ક અને સ્કોર સમાન હોય તો 2.50 લાખનો આ આંકડો થોડો વધારે હોઈ શકે છે. જેઇઇ મેઇન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.