AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy Recruitment: ભારતીય નૌકાદળમાં 10 પાસ માટે બમ્પર વેકેન્સી, જાણો કેવી રીતે કરવી અરજી

ભારતીય નૌકાદળમાં જોડાવા માટે, કોઈપણ માન્ય શાળા અથવા બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું જરૂરી છે. ઉમેદવાર પાસે કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માંથી સંબંધિત પ્રમાણપત્ર હોવું જોઈએ. તમે પાત્રતા વિગતો માટે સૂચના જોઈ શકો છો. જેની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોય, તેઓ અરજી કરવા પાત્ર છે. અનામત વર્ગમાં સરકારના નિયમો મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

Indian Navy Recruitment: ભારતીય નૌકાદળમાં 10 પાસ માટે બમ્પર વેકેન્સી, જાણો કેવી રીતે કરવી અરજી
Indian Navy Recruitment
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 3:49 PM
Share

ભારતીય નૌકાદળ (Indian Navy) 10 પાસ ઉમેદવારો માટે નોકરીની (Govt Jobs) મોટી તક લઈને આવ્યું છે. હવે ઘણા લોકોનું દેશ સેવા કરવાનું સપનું પૂરું થશે. આ પોસ્ટ માટે ઉચ્ચ શિક્ષણની લાયકાતની જરૂર નથી. તમે આ માટે સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in પર જઈને ઓનલાઈન મોડમાં અરજી કરી શકો છો. નૌકાદળમાં ટ્રેડ્સમેન માટે આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા 26 ઓગસ્ટ 2023 થી શરૂ થઈ ગઈ છે.

આ માટે અરજી કરવા માટે ઉમેદવારોને 25 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ધ્યાનમાં રાખો કે નોંધણી અને ફી જમા કરવાની છેલ્લી તારીખ 25મી સપ્ટેમ્બર છે.

નૌકાદળમાં કુલ 362 જગ્યાઓ ખાલી

ભારતીય નૌકાદળમાં કુલ 362 જગ્યાઓ ખાલી છે. જેમાં જનરલ ક્લાસ માટે 151 જગ્યાઓ, OBC માટે 97 જગ્યાઓ, EWS માટે 35 જગ્યાઓ ખાલી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 26 જગ્યાઓ ખાલી છે. જો ઉમેદવારો આ પોસ્ટ્સ પર પસંદ કરવામાં આવે છે, તો તેમને દર મહિને રૂ. 18,000 થી રૂ. 56,900 સુધીનો પગાર મળશે.

આ રીતે કરો નોંધણી

1. સૌથી પહેલા તેની ઓફિશિયલ વેબસાઈટ joinindiannavy.gov.in પર જાઓ અને તમામ અપડેટ ધ્યાનથી વાંચો.

2. હોમ પેજની મુલાકાત લઈને ખાલી જગ્યા માટે અરજી કરો. ત્યારબાદ તમારું રજીસ્ટ્રેશન ફોર્મ ભરો. તે પછી ટ્રેડ્સમેન મેટ, હેડક્વાર્ટર, આંદામાન અને નિકોબાર કમાન્ડની પોસ્ટ માટે ભરતી વિકલ્પ પસંદ કરો.

3. નોંધણી સંબંધિત તમામ દસ્તાવેજોની સ્કેન કોપી સબમિટ કરો, પછી અરજી કરો.

4. તમારું રજીસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરો અને છેલ્લે તેની પ્રિન્ટઆઉટ લો.

લાયકાત અને વય મર્યાદા

ભારતીય નૌકાદળમાં જોડાવા માટે, કોઈપણ માન્ય શાળા અથવા બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ હોવું જરૂરી છે. ઉમેદવાર પાસે કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) માંથી સંબંધિત પ્રમાણપત્ર હોવું જોઈએ. તમે પાત્રતા વિગતો માટે સૂચના જોઈ શકો છો. જેની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હોય, તેઓ અરજી કરવા પાત્ર છે. અનામત વર્ગમાં સરકારના નિયમો મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચો : Govt Jobs: ગ્રેજ્યુએટ માટે સરકારી કંપનીમાં બમ્પર વેકેન્સી, જાણો ક્યાં અને કેવી રીતે અરજી કરવી

પસંદગી પ્રક્રિયા

વિદ્યાર્થીઓની પસંદગી લેખિત કસોટી, કૌશલ્ય કસોટી અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે. વિદ્યાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ લેખિત પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. આ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મેરિટ મુજબ વિદ્યાર્થીઓની પોસ્ટિંગ કરવામાં આવશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">