GUJCET Exam 2022: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ જાહેર, 18 એપ્રિલે લેવાશે પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET 2022) માટેની પરીક્ષાની તારીખો જાહેર કરી છે.

GUJCET Exam 2022: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ જાહેર, 18 એપ્રિલે લેવાશે પરીક્ષા
GUJCET Exam 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 11:16 AM

GUJCET Exam Date 2022: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET 2022) માટેની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. પરીક્ષા 18 એપ્રિલના રોજ લેવામાં આવશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ gseb.org પર પરીક્ષાનું સમયપત્રક અને પેટર્ન (GUJCET Exam Pattern 2022) ચકાસી શકે છે. GUJCET 2022 પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવશે. ગુજરાતમાં સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતા એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GUJCET પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ માર્ચના છેલ્લા સપ્તાહમાં જાહેર થવાની ધારણા છે. જોકે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

ગુજકેટ 2022 પરીક્ષાની તારીખ સત્તાવાર સૂચના દ્વારા જાહેર કરવામાં આવી છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના વિવિધ કેન્દ્રો પર પેપર લેવાશે અને તમામ વિદ્યાર્થીઓએ સમયસર પહોંચવાનું રહેશે. પ્રશ્નપત્ર અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં હશે. એન્જિનિયરિંગના ઉમેદવારો માટે, પ્રશ્નપત્રમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતના વિષયો પર આધારિત પ્રશ્નો હશે.

પરીક્ષા ઑફલાઇન મોડમાં હશે

ફાર્મસી કોર્સ માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના પ્રશ્નો હશે. દરેક સાચા જવાબ માટે એક માર્ક ફાળવવામાં આવશે, દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે. પરીક્ષા ઑફલાઇન મોડમાં લેવામાં આવે છે. પરીક્ષામાં જતા પહેલા જાહેર કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. પરીક્ષાઓ કોરોનાના નિયમો હેઠળ લેવામાં આવશે. એડમિટ કાર્ડ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કુલ 120 બહુવિધ પસંદગીના પ્રશ્નો ઉકેલવા માટે ઉમેદવારોને 180 મિનિટનો સમય આપવામાં આવે છે. ગુજરાતની કોલેજો દ્વારા ઓફર કરવામાં આવતા એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GUJCET 2022 હાથ ધરવામાં આવે છે. પરીક્ષા સંબંધિત વધુ વિગતો માટે, ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે. તમામ અપડેટ માહિતી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં આંગણવાડી કાર્યકરોની 8,000થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત, આ રીતે કરી શકશો અરજી

આ પણ વાંચો: ભારતીય સેનામાં SSC ટેકનિશિયનની 191 જગ્યા પર ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">