બે ખૂશ ખબર! Ph.Dના વિદ્યાર્થીઓને મળશે હવે સ્ટાઈપેન્ડ, 100 દિવસમાં પ્રોફેસરોની ભરતી કરવા આદેશ
ગુજરાતમાં યુજીસી દ્વારા 100 દિવસમાં જ તમામ પ્રોફેસરની જગ્યાઓ ભરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશના પગલાં ગ્રાન્ટ એડ કોલેજોમાં ભરતી કરવાની રહેશે. જેના લીધે નવા વિદ્યાર્થીઓને તક મળી રહેશે તો જ્યાં પ્રોફેસરો નથી ત્યાં પણ રાહત થઈ શકશે. સાથે જ વિદ્યાર્થીઓને જે-તે વિષયનું જ્ઞાન પણ સારી રીતે મળી શકશે. Web Stories View more […]
ગુજરાતમાં યુજીસી દ્વારા 100 દિવસમાં જ તમામ પ્રોફેસરની જગ્યાઓ ભરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશના પગલાં ગ્રાન્ટ એડ કોલેજોમાં ભરતી કરવાની રહેશે. જેના લીધે નવા વિદ્યાર્થીઓને તક મળી રહેશે તો જ્યાં પ્રોફેસરો નથી ત્યાં પણ રાહત થઈ શકશે. સાથે જ વિદ્યાર્થીઓને જે-તે વિષયનું જ્ઞાન પણ સારી રીતે મળી શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સાથે જ બીજી ખુશખબરની વાત કરીએ તો સરકાર પીએચડીના વિદ્યાર્થીઓ પર મહેરબાન થઈ છે અને હવે તેમને દર મહિને 15 હજાર રુપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. પહેલાં જે વિદ્યાર્થીઓ જેઆરએફની પરીક્ષા પાસ કરતાં તેને જ સ્ટાઈપેન્ડ મળતું હતું પણ હવે સરકારના નિર્ણયથી પીએચડીના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ મળી શકશે. બધાને આ લાભ મળી શકશે નહીં પણ પ્રોફેસરની એક કમિટિ બનાવવામાં આવશે અને તેમાં પીએચડી ઉમેદવારે અરજી કરવાની રહેશે. આ અરજી માન્ય થયા બાદ જ સ્ટાઈપેન્ડનો લાભ મળી શકશે.
આ પણ વાંચો: ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર આવતીકાલે કોર્ટમાં સુનાવણી, 28 દિવસની અંદર આવી શકે છે ભારત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો